બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 12:07 PM, 9 January 2020
ADVERTISEMENT
રાજકોટમાં પકડાયું આ કૌભાંડ
રાજકોટમાંથી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ઝડપાયું છે. ત્યારે હવે તંત્ર દ્વારા 9 હજાર કાર્ડને રદ કરવાને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાંથી 9 હજાર નકલી કાર્ડ નિકળ્યાં હોવાની આશંકા છે. 5 ઓપરેટરો સામે ફરિયાદ નોંધવા માટે કમિટી બનાવવામાં આવી છે. આ મામલે સાયબર સેલની મદદ લેવામાં આવશે. 9 હજાર કાર્ડ રદ કરવા માટે તંત્રએ કામગીરી શરૂ કરી છે. સાચા લાભાર્થીઓને તંત્ર દ્વારા ફરીથી કાર્ડ કાઢી આપવામાં આવશે.
ADVERTISEMENT
એક જ પરિવારને 17 હજાર આયુષ્માન કાર્ડ
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં આયુષ્માન કાર્ડનું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે એક પરિવારને જ 17000 આયુષ્માન કાર્ડ ઈસ્યુ થયાની ઘટનાં પણ સામે આવી છે. તેમજ એક જ વ્યક્તિ એક જ સમયે 2થી 3 હોસ્પિટલમાં દાખલ હોય અને તેનાં બીલ પાસ થયાની ઘટનાઓ પ્રકાશમાં આવ્યાં બાદ સરકાર જાગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.