બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 9,000 fake cards suspected to be Ayushman card scam

ભ્રષ્ટાચારની ગંધ / રૂપિયાનું કૌભાંડ તો સાંભળ્યું હશે, રાજકોટમાં 9000 નકલી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ સામે આવ્યું

Dharmishtha

Last Updated: 12:07 PM, 9 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આયુષ્માન કાર્ડનું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટમાંથી આયુષ્માન કાર્ડનું કૌભાંડ પકડાયું છે. જેને પગલે નકલી કાર્ડ રદ કરવાની કામગીરી કરવામાં આવશે. તેમજ તેની તપાસ પણ સાઈબર સેલને સોંપવામાં આવશે.

  • જિલ્લામાંથી 9 હજાર નકલી કાર્ડ નિકળ્યાં હોવાની આશંકા
  • 5 ઓપરેટરો સામે પોલીસ ફરિયાદ નોંધવા કમિટી બનાવાઈ
  • કૌભાંડ મામલે સાયબર સેલની મદદ લેવામાં આવશે

રાજકોટમાં પકડાયું આ કૌભાંડ

રાજકોટમાંથી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ઝડપાયું છે. ત્યારે હવે તંત્ર દ્વારા 9 હજાર કાર્ડને રદ કરવાને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાંથી 9 હજાર નકલી કાર્ડ નિકળ્યાં હોવાની આશંકા છે.  5 ઓપરેટરો સામે ફરિયાદ નોંધવા માટે કમિટી બનાવવામાં આવી છે. આ મામલે સાયબર સેલની મદદ લેવામાં આવશે. 9 હજાર કાર્ડ રદ કરવા માટે તંત્રએ કામગીરી શરૂ કરી છે. સાચા લાભાર્થીઓને તંત્ર દ્વારા ફરીથી કાર્ડ કાઢી આપવામાં આવશે. 

એક જ પરિવારને 17 હજાર આયુષ્માન કાર્ડ

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં આયુષ્માન કાર્ડનું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે એક પરિવારને જ 17000 આયુષ્માન કાર્ડ ઈસ્યુ થયાની ઘટનાં પણ સામે આવી છે. તેમજ એક જ વ્યક્તિ એક જ સમયે 2થી 3 હોસ્પિટલમાં દાખલ હોય અને તેનાં બીલ પાસ  થયાની ઘટનાઓ પ્રકાશમાં આવ્યાં બાદ સરકાર જાગી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayushman card Gujarati News Scam rajkot આયુષ્માન કાર્ડ કૌભાંડ ગુજરાત ન્યૂઝ રાજકોટ rajkot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ