મધ્યપ્રદેશની પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે. ગુજરાતના નકલી રેમડેસિવિર ઈન્જેક્શન લગાવનાર દર્દી મોટી સંખ્યામાં સ્વસ્થ્ય થઈ ગયા.
મધ્યપ્રદેશની પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે.
ગુજરાતના નકલી રેમડેસિવિર ઈન્જેક્શન લગાવનાર દર્દી મોટી સંખ્યામાં સ્વસ્થ્ય થઈ ગયા.
90 ટકા દર્દીનું ફેફસાનું ઈન્ફેક્શન સરખુ થઈ ગયું
ઈંદોર અને જબલપુરમાં જે કોરોના દર્દીઓને ગુજરાતથી આવેલા નકલી રેમડેસિવિર ઈન્જેક્શન લગાવવામાં આવ્યા તેમાંથી 90 ટકા દર્દીનું ફેફસાનું ઈન્ફેક્શન સરખુ થઈ ગયું. પોલીસે જ આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે કહ્યું છે કે આ મામલામાં પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગને ગંભીરતાથી વિચારવું જોઈએ.
એક રિપોર્ટ અનુસાર એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ઈંદોરમાં જે લોકોને નકલી રેમડેસિવિર આપવામાં આવ્યા તેમાંથી દસના મોત થઈ ગયા. જ્યારે 100થી વધુ લોકો સાજા થઈ ગયા. જ્યારે ઈન્જેક્શનમાં ફક્ત ગ્લૂકોઝ અને મીઠુ હતું. જોકે જે લોકોના મોત થયા છે તેમના શરીરની તપાસ નથી થઈ શકતી. કારણ કે બધાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે.
700 નકલી ઈન્જેક્શન શહેર અને બાહર વેચ્યા
પોલીસ સુપ્રિટેન્ડન્ટ આશુતોષ બાગરીએ જણાવ્યું કે હકીકતે 700 નકલી ઈન્જેક્શન ગુજરાતના મોરબીથી સુનીલ મિશ્રા લઈને આવ્યા હતા. પહેલી વખતે 200 ઈન્જેક્શન અને બીજી વખતમાં 500 નકલી ઈન્જેક્શન ઈન્દોરમાં વેચવામાં આવ્યા હતા. આરોપી પ્રશાંત પારાશરે 100 નકલી ઈન્જેક્શન વેચ્યા હતા. બાદમાં આશીષ ઠાકુરે તે નકલી ઈન્જેક્શનને બીજી મેડીકલ સંચાલક ગૌરવ કેસવાનીને વેચ્યા હતા. ગૌરવ કેસવાનીએ સાંવેરના કોઈ ઝોલાછાપ ડોક્ટર સરવર અને દવા બજારના મેડિકલ દુકાનમાં કામ કરનાર ગોવિંદને વેચ્યા.
જબલપુર પોલીસને હાલ કોઈ સફળતા નથી મળી
આ મામલે જબલપુર પોલીસ ઘણા મોટા તથ્યો હાસલ નથી કરી શકી. પોલીસ અત્યાર સુધી એ લોકોના પરિવાર જનોના સંપર્ક નથી કરી શકી જેમને નકલી રેમડેસિવિર ઈન્જેક્શન લગાવવામાં આવ્યા છે. અજીબ વાત એ છે કે આ કોરોના દર્દીઓનો રેકોર્ડ હોસ્પિટલની પાસે પણ ન હતો. જબલપુરના ઓમતી પોલીસ સ્ટેશનમાં સરબજીત સિંહ, સપન અને દેવેસ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.