આ ફેસ્ટિવલ સિઝનમાં 90 કરોડથી વધારે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકોના કાર્ડ બંધ થઇ શકે છે. ભારતીય રિઝર્વ બેંકે કાર્ડ જારી કરતી વિદેશી કંપનીઓ માટે એક નિયમ જારી કર્યો હતો જેના માટે એમને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ સમય મર્યાદા 15 ઓક્ટોબરે સમાપ્ત થઇ રહી છે. આરબીઆઇએ સમય સીમા વધારવાના આગ્રહને ના પાડી દીધી છે.
દેશમાં મોટાભાગની બેંક પોતાના ગ્રાહકોને માસ્ટરકાર્ડ અથવા વીઝાનું ક્રેડિટ ડેબિટ કાર્ડ જારી કરે છે. આરબીઆઇએ આ વિદેશી પેમેન્ટ ગેટવે કંપનીઓને દેશમાં પોતાના સર્વર લગાવવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો.
RBI નો નિર્ણય આવ્યા બાદ આગામી ફેસ્ટિવલ સીઝન ફીકું રહેવાની આશંકા છે. નોટબંધી બાદથી દેશમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડનું ચલણ ખૂબ જ વધ્યું છે. મોટાભાગનો લોકો હવે કાર્ડ દ્વારા જ ખરીદી કરે છે. ભારતે પણ પોતાના વેરિએટ્સ ડેબિટ ક્રેડિટ કાર્ડ જારી કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ એવા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે જેની પાસે વેરિએટ્સ કાર્ડ છે.
માસ્ટરકાર્ડ અથવા વીઝાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંધ થાય છે તો ફરી લોકોની પાસે કેશ ઉપરાંત UPI નેટબેંકિંગ અને મોબાઇલ વોલેટ જેવી ચુકવણી કરવાનો વિકલ્પ જ બચશે.
કાર્ડ બંધ થવાથી લોકોની પાસે રોકડની સમસ્યા પણ સર્જાશે. મોટાભાગના લોકો હજુ પણ પોચાના ડેબિટ કાર્ડ નો ઉપયોગ એટીએમથી પૈસા નિકાળવા કરે છે. આરબીઆઇનો આ નિર્ણય 90 કરોડ લોકો પર ભારે પડી શકે છે.