સ્મશાનમાં જગ્યા ઓછી પડી, પાર્કિંગ એરિયામાં કરાયા અંતિમ સંસ્કાર
પાર્કિંગ એરિયામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડ્યા
ગુરુગ્રામાં 7 લોકો કોરોનાથી મોત પામ્યા હોવાનું સત્તાવાર આંકડામાં જણાવાયું પરંતુ ગુરુગ્રામના મદનપુરી સ્મશાનમાં એક દિવસમાં 90 મૃતદેહો આવતા જગ્યા ખુટી પડી અને પરિણામે છેક પાર્કિંગ એરિયા સુધી મૃતદેહોને એક પછી એક ગોઠવીને અંતિમ સંસ્કાર કરવા પડ્યાં.
એક દિવસમાં 90 મૃતદેહો આવ્યાં
સોમવારે 90 લોકો કોરોનાથી અને બીજા રોગોથી મૃત્યુ પામ્યા હતા અને મદનપુરી સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા. હવે આટલી મોટી સંખ્યામાં મૃતદેહોને રાખવા અને અંતિમ સંસ્કાર કરવા જગ્યા તો જોઈએને. સ્મશાનમાં જગ્યા ખૂટતા પાર્કિંગ એરિયા સુધી મૃતદેહોને ગોઠવવામાં આવ્યાં અને અંતિમ સંસ્કાર કરવા પડ્યાં.
પાર્કિંગ એરિયામાં 10 પ્લેટફોર્મ બનાવાયા
મદનપુરી સ્મશાનના રખેવાળે જણાવ્યું કે સોમવારે અચાનક જ 90 જેટલા મૃતદેહો આવ્યાં, આ બધાને બાળવા ક્યાં તે પ્રશ્વ ખડો થયો. અમે કોઈ એક સમયે 30 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની સ્થિતિમાં હતા પરંતુ 90 મૃતેદેહોને અંતિમ સંસ્કાર કેવી રીતે કરવા. તેથી અમે પાર્કિંગ એરિયામાં 10 પ્લેટફોર્મ બનાવીને અંતિમ સંસ્કાર કર્યાં.
એમ્બ્યુલન્સ ન મળતા લોકો કારમાં મૃતદેહો લાવ્યાં
તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સ ન મળતા લોકો કારમાં મૃતદેહોને લઈ આવ્યાં હતા. પિતાના અંતિમ સંસ્કાર માટે આવેલા એક વ્યક્તિએ જણાવ્યું કે સોમવારે સવારે મારા પિતાનું કોરોનાથી નિધન થયું. અમે બપોરના 3 ની આસપાસ તેમના અંતિમ સંસ્કાર માટે મદનપુરી સ્મશાનમાં આવ્યાં પરંતુ અમારે પાંચ કલાકની રાહ જોવી પડી હતી.