જેતપુરનાં મોટા ગુંદાળા ગામે સ્કૂલ વાનમાંથી ઉતરીને ઘરે જઈ રહેલી 9 વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલ વાને હડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. જે બાદ યુવતિની લાશને પી.એમ. માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સિવિલ સુપ્રિટેન્ડન્ટે પી.એમ. કરવાની ના પાડતા મામલો બિચક્યો હતો.
જેતપુરનાં મોટા ગુંડાળા ગામની ઘટના
સ્કૂલની બસે અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત
ડૉક્ટરે વિદ્યાર્થિનીનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતા બિચક્યો મામલો
જેતપુરનાં મોટા ગુંદાળા ગામે રહેતી અને સ્વામિનારાયણ સ્કૂલમાં ધો. 4 માં અભ્યાસ કરતી 9 વર્ષીય વિદ્યાર્થીની કેશવી અભંગીને સ્કૂલ બસે અડફેટે લેતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સ્કૂલાંથી વિદ્યાર્થીઓને લઈ સ્કૂલ બસ ગામમાં વિદ્યાર્થીઓને મુકવા માટે આવી હતી. ત્યાારે વિદ્યાર્થીની બસમાંથી ઉતરીને જઈ રહી હતી. તે દરમ્યાન સ્કૂલ બસનાં ડ્રાયવરે ગાડી રીવર્સ લેતા સ્કૂલ બસ વિદ્યાર્થીની પર ફરી વળી હતી. વિદ્યાર્થીનીને તાત્કાલીક ધોરણે હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતું 9 વર્ષીય બાળકીનું પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યું હતું.
સિવિલ સુપ્રિટેન્ડન્ટે વિદ્યાર્થીનીનું પી.એમ. કરવાની ના પાડતા મામલો બિચક્યો
જેતપુરનાં મોટા ગુંદાળા ગામની વિદ્યાર્થીનીને અકસ્માત બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ત્યારે સિવિલ સુપ્રિટેન્ડન્ટે વિદ્યાર્થીનીનું પી.એમ. કરવાની ના પાડતા મામલ બિચક્યો હતો. આ સમગ્ર બનાર અંગેની જાણ ભાજપનાં ધારાસભ્ય જયેશ રાદડિયાને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને સિવિલ સુપ્રિટેન્ડન્ટને ખખડાવ્યા હતા. ત્યારે સિવિલનાં ર્ડાક્ટર દ્વારા ફોરેન્સિક પીએમ કરવાનું કહેતા ધારાસભ્યએ ર્ડાક્ટરનો પણ ઉધડો લીધો હતો.