ઓમિક્રોનની દહેશત વચ્ચે દક્ષિણ આફ્રિકાથી 9 પ્રવાસીઓ સુરતમાં આવ્યા છે. જેના કારણે ચિંતા વધી છે. જેથી દરેકના RT-PCR ટેસ્ટ કરાવામાં આવ્યા છે. સાથેજ તેમણે 7 દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવું પડશે.
સુરતમાં 9 પ્રવાસીઓ દ.આફ્રિકાથી આવ્યા
ઓમિક્રોનની દહેશત વચ્ચે 9 પ્રવાસીઓું દ. આફ્રિકાથી આગમન
દરેકના RT-PCR કરાવી ક્વોરન્ટાઈન રહેવા આદેશ
સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનનું સંકટ ફેલાયેલું છે જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો ઓમિક્રોને વેરિએન્ટ મળી આવ્યો જે અત્યાર સુધીનો સૌથી ધાતક વેરિએન્ટ સાબિત થયો છે. જોકે આ બધા વચ્ચે 9 પ્રવાસીઓ સાઉથ આફ્રિકાથી સુરતમા આવ્યા છે.
કુલ 351 લોકો વિદેશથી આવ્યા
સાઉથ આફ્રિકાથી 9 પ્રવાસીઓ સુરત આવતા ટેન્શન વધી ગયું છે. જોકે 24 કલાક માં વિદેશથી કુલ 351 લોકો સુરતમાં આવ્યા છે. જેમા ગત શનિવારે કુલ 78 લોકો વિદેશથી સુરત આવ્યા હતા. જેમના RT-PCR કરવામાં આવ્યા છે.
78ના રિપોર્ટ હજુ પેન્ડિંગ
જે 78 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે તે લોકો રિપોર્ટ પણ હાલ પેન્ડિંગ બતાવી રહ્યા છે. જે પણ લોકો ઓમિક્રોન સંક્રમિત વિસ્તારમાંથી આવી રહ્યા છે. તે દરેક લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જો કોઈનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો તો તેના સેમ્પલને જીનોમ સિક્વનન્સિંગ માટે મોકલવામાં આવશે.
ફરજિયાત વિદેશથી આવનારે ક્વોરન્ટાઈન થવું પડશે
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ભારત માટે ઘણીજ ઘાતક સાબિત થઈ હતી. માંડ પરિસ્થિતી કાબૂમાં આવી ત્યા ઓમિક્રોને દહેશત ફેલાવી છે. જોકે સરકાર તેને લઈને એલર્ટ થઈ ગઈ છે. વિદેશથી જે પણ લોકો હવે ભારત આવશે તેમને 7 દિવસ માટે ફરજિયાત ક્વોરન્ટિન થવું પડશે. સાથેજ તે લોકોએ 7 દિવસ બાદ પણ RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે.