દિલ્હીમાં ઓમિક્રોનના 9 પેટા વેરિયન્ટને કારણે કેસ વધી રહ્યો હોવાનો ખુલાસો જિનોમ સિકવન્સિંગમાં થયો છે.
દિલ્હીમાં દરરોજ વધી રહ્યાં છે કોરોના કેસ
જીનોમ સિક્વન્સિંગમાં થયો મોટો ખુલાસો
9 પેટા વેરિયન્ટને કારણે દિલ્હીમાં વધી રહ્યાં છે કોરોના કેસ
દિલ્હીમાં કોરોના કેસ વધવા પાછળનું મુખ્ય કારણ બીએ.2.12.1 સહિત કુલ 9 વેરિયન્ટ જવાબદાર હોવાનું જિનોમ સિકવન્સિંગમાં સામે આવ્યું છે. સરકારી સૂત્રોએ કહ્યું કે દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસ પાછળ ઓમિક્રોનના નવ પેટા-પ્રકારો છે. દિલ્હીમાં, જીનોમ સિક્વન્સિંગમાં બીએ.2.12.1 સહિત ઓમિક્રોનના 9 પ્રકારોની પુષ્ટિ થઈ છે.
9 વેરિયન્ટમાં દિલ્હીમાં મચાવી રહ્યાં છે તરખાટ
જિનોમ સિકન્વસિંગમાં એવો પણ ખુલાસો થયો છે કે દિલ્હીમાં હાલમાં કોરોનાના 9 પેટા વેરિયન્ટ તરખાટ મચાવી રહ્યાં છે અને તેને કારણે દિલ્હીમાં કોરોના કેસ વધતા જ રહેશે.
દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે
દિલ્હીમાં કોરોનાની ગતિ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કોરોનાના 1009 કેસ સામે આવ્યા છે. એક વ્યક્તિનું મોત પણ થયું છે. મંગળવારે દિલ્હીમાં કોરોનાના 601 કેસ નોંધાયા હતા. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં સંક્રમણનો દર 5.70 ટકા પર પહોંચી ગયો છે. 314 લોકો સાજા થઈને પરત ફર્યા છે. હવે ચિંતાની વાત એ છે કે 10 ફેબ્રુઆરી બાદ રાજધાનીમાં કેસ ફરી એકવાર હજારનો આંકડો પાર કરી ગયા છે.ભારતમાં કોરોના કેસ વધી રહ્યાં છે અને લોકોના મનમાં સવાલ છે કે નવા કેસ કોરોનાની ચોથી લહેરને કારણે આવી રહ્યાં છે પરંતુ દેશના મોટા ડોક્ટરે આ ચિંતાને નકારી કાઢી છે. ICMRના પૂર્વ ડિરેક્ટર અને દેશના મોટા ડોક્ટર રમણ આર ગંગાખેડકરે કહ્યું કે મને નથી લાગતું કે ભારતમાં હાલ કોરોનાની ચોથી લહેર આવી છે. સમગ્ર વિશ્વ BA.2 વેરિયન્ટનો સાક્ષી બની રહ્યું છે અને લોકો પર અસર પાડી રહ્યું છે. આપણામાંથી કેટલાક ખોટું સમજ્યાં છે કે હવે કોરોના મહામારી ગઈ એટલે માસ્કની જરુર નથી, આવા લોકો માસ્ક ઉતારી મૂક્યું છે.
ભારતમાં કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ નથી
ગંગાખેડકરે કહ્યું કે હાલમાં ભારતમાં કોઈ નવો વેરિયન્ટ સામે આવ્યો નથી.જે લોકો વૃદ્ધ છે, જેમણે હજુ સુધી વેક્સિન લીધી નથી, જેઓ અત્યાર સુધી સંક્રમિત થયા છે, તેમણે ફેસમાસ્ક પહેરવાનું યાદ રાખવું જોઈએ.
ભારતમાં કેસ વધતા ચોથી લહેરનો ડર પેદા થયો
ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસ વધી રહ્યાં છે તેને કારણે ચોથી લહેર શરુ થઈ હોવાની ચિંતા છવાઈ હતી પરંતુ હવે દેશના મોટા ડોક્ટરે આ શક્યતા નકારી કાઢતા હાશકારો થયો છે.
દિલ્હીમાં માસ્ક લગાવવું ફરજિયાત
દિલ્હીમાં હવે માસ્ક લગાવાનું ફરજિયાત થઈ ગયું છે. માસ્ક ન લગાવા પર 500 રૂપિયાનો દંડ આપવો પડશે. આ અગાઉ દિલ્હીમાં ફેસ માસ્ક ન પહેરવા પર દંડ હટાવી દીધો હતો. સોશિયલ ડિસ્ટેન્સિંગનો ખ્યાલ રાખવો પડશે. સાથે જ કોરોના રસીકરણ પર પણ ભાર આપવાની વાત કરવામાં આવી છે. શાળાઓ બંધના ડરે વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત છે. જો આ બેઠક બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, દિલ્હીમાં સ્કૂલો સમગ્રપણે બંધ થશે નહીં.