હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બનતા 9 લોકોના મોત થઈ ગયા છે
કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બન્યો
ગાડીમાં સવાર 9 લોકોના મોત, ત્રણ ઘાયલ
સાથે જ જિલ્લામાં આભ પણ ફાટ્યું
કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બન્યો
હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બનતા 9 લોકોના મોત થઈ ગયા છે અને ત્રણ વ્યક્તી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. હાલ મળી જાણકારી અનુસાર કિન્નોર જિલ્લામાં પર્વતમાંથી ભેખડ ધસી પડતાં ત્યાં ફરવા આવેલા પર્યટકોની ગાડી આ ઘટનામાં આવી ગઈ. ગાડી પર આ ભેખડ પડતાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. સામે આવ્યું છે કે ગાડીમાં સફર કરી રહેલા આ બધા પ્રવાસીઓ દિલ્હી અને ચંડીગઢથી હિમાચલ ફરવા આવ્યા હતા.
ગાડીમાં સવાર 9 લોકોના મોત, ત્રણ ઘાયલ
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય જગત સિંહ નેગીએ જણાવ્યું કે પહાડો પરથી સતત પત્થરો પડી રહ્યા છે જેના કારણે રેસ્ક્યૂમાં પણ તકલીફ પડી રહી છે. તેમણે કહ્યું કે ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવા માટે સરકાર પાસેથી હેલિકોપ્ટર મંગાવ્યા છે અને તે જલ્દી જ આવી જશે તેવું આશ્વાસન મળ્યું છે. કિન્નોરના DC આબિદ હુસૈન સાદીક, SP એસઆર રાણા પણ હાલ ઘટના સ્થળે હાજર છે.
સાથે જ જિલ્લામાં આભ પણ ફાટ્યું
બીજી બાજુ રાષ્ટ્રીય રાજ્ય માર્ગ 505 પર પણ રાત્રે ધોધમાર વરસાદના પાણી ફરી વળ્યા, ભારે વરસાદ બાદ આભ ફાટતાં પૂર આવ્યું. પણ આ કારણે કોઈ પણ પ્રકારનું નુકશાન થયું નથી. પણ માર્ગોમાં મોટા પાયે નુકશાન થયું છે. જેના કારણે રોડની બંને બાજુ 50થી વધુ વાહનો ફસાઈ ગયા છે. હવે આ ભેખડ ખસેડતા ત્યાં વાહન વ્યવહાર શરૂ થશે.