આંધ્રપ્રદેશમાં સેનિટાઇઝર પીવાના કારણે 9 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. પ્રકસમ જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલે આ માહિતી આપી છે. કુરીચેડુ મંડળના મુખ્ય મથકની મુલાકાતે આવેલા એસપીએ જણાવ્યું હતું કે મૃતકો ઘણા દિવસોથી સેનિટાઇઝરને પાણી અથવા અન્ય કોઈ પીણા સાથે પી રહ્યો હતા.
આંધ્રપ્રદેશમાં બની અનોખી ઘટના
સેનિટાઇઝર પીવાથી 9 લોકોના કમકમાટીભર્યા મોત
આ સાથે જ તેમણે વધુમાં એસપીએ જણાવ્યું હતું કે, આ સેનિટાઇઝરોમાં અન્ય કોઈ ઝેરી પદાર્થ પીધેલી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. એસપીએ જણાવ્યું હતું કે તેના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે આ તમામ મૃતકો છેલ્લા 10 દિવસથી સેનિટાઇઝર પી રહ્યા હતા.
દારૂની દુકાન પણ બંધ હોવાથી બની આ ઘટના
આપને જણાવી દઇએ કે, આ વિસ્તારમાં જે ક્ષેત્રમાં આ બનાવ બન્યો છે તે હાલ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવે છે. અહીં કોરોના વાયરસના ઘણા દર્દીઓ નોંધાયા છે. લોકડાઉન થવાને કારણે આ વિસ્તારમાં દારૂની દુકાન પણ બંધ કરી દેવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દારૂના લોકો સેનિટાઇઝર પીતા હતા કારણ કે તેમાં દારૂનો કેટલોક હિસ્સો પણ જોવા મળે છે.
કુલ 9 લોકોના થયાં મોત
સ્થાનિક મંદિર નજીક આ ઘટનાનો પહેલો ભોગ બનેલા બે ભિખારી થયા છે.આ સાથે જ, ત્રીજાનું સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. આ ત્રણેય મોત ગુરુવારે થયા હતા. જ્યારે બાકીના 6 લોકો શુક્રવારે સવારે મૃત્યુ પામ્યા હતા. સેનિટાઇઝર પીધા પછી આ બધાની હાલત પણ કથળી હતી.