ભારતીય અર્થવ્યવસ્થામાં નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઝ (NBFCs)નો અગત્યનું યોગદાન છે. NBFCથી ખાસ કરીને મોટા અને મધ્યમ આકારના વેપારીઓનો લોન મળે છે. જેનું યોગદાન દેશની અર્થવ્યવસ્થામાં અગત્યનું છે.
આ સિવાય રિયલ એસ્ટેટમાં પણ NBFC મોટા પ્રમાણમાં લોનની વહેંચણી કરે છે. MSMEનું દેશની GDPમાં 30 ટકા નજીક છે. આજ કારણ છે કે, આત્મનિર્ભર ભારત પેકેજમાં NBFC અને HFC માટે 30 હજાર કરોડ લિક્વિડિટી ઇન્યૂઝનનું એલાન કરવામાં આવ્યું છે.
9 એનબીએફસીએ પ્રમાણપત્રો પરત કર્યા
આ દરમિયાન 9 એનબીએફસીએ તેમના નોંધણીનું પ્રમાણપત્ર પરત કરી દીધું છે. તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે. પ્રમાણપત્ર પરત કર્યા બાદ, આ કંપનીઓ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ સાથે સંકળાયેલા વ્યવસાયિક વ્યવહાર કરી શકશે નહીં. રિલાયન્સ નેટ, નિશ્ચિ ફિનવેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ, પેનોરોઝ મર્કન્ટાઇલ લિમિટેડ, મનોહર ફાઇનાન્સ ઈન્ડિયા લિમિટેડ અને સાંઘી હાયર પરચેઝ એનબીએફસીમાં શામેલ છે જેમણે તેમના પ્રમાણપત્રો છોડી દીધા છે.
14 NBFCs રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કેન્સલ
ઉલ્લેખનીય છે કે, 14 NBFCs રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ્દ કરવામાં આવ્યું છે. જે NBFCના નોંધણી પ્રમાણપત્ર રદ્દ કરવામાં ાવ્યા છે. જેમાં પ્રાઇમસ કેપિટલ લિમિટેડ, ભારત ફાઇનાન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી લિમિટેડ જેવી અનેક સંસ્થાઓનો સમાવેશ છે.