વિશ્વભરમાં પ્રદૂષણને લઈને ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. વર્ષ 2019 માં, સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રદૂષણને કારણે 90 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રદૂષણને કારણે 90 લાખ લોકો મૃત્યુ પામ્યા
પ્રદૂષણની અસર યુદ્ધ ,આતંકવાદ કરતાં પણ ઘણી વધારે
પ્રદૂષણ સંબંધિત 90% થી વધુ મૃત્યુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે
વર્ષ 2000 થી આ આંકડાઓમાં 55 ટકાનો વધારો થયો છે. ચીનમાં સૌથી વધુ 24 લાખ લોકોના મોત થયા છે. બીજા નંબર પર ભારત છે, અહીં 22 લાખ લોકોના મોત થયા છે. જ્યારે અમેરિકા આ યાદીમાં સાતમા નંબર પર છે. લેન્સેટ પ્લેનેટરી હેલ્થે પ્રદૂષણ અને સ્વાસ્થ્યને લઈને આ આંકડા જાહેર કર્યા છે.
પ્રદૂષણની અસર યુદ્ધ ,આતંકવાદ અને HIV જેવા રોગો કરતાં પણ ઘણી વધારે છે
પ્રદૂષણ અને આરોગ્ય પરના લેન્સેટ કમિશને જણાવ્યું હતું કે વૈશ્વિક સ્વાસ્થ્ય પર પ્રદૂષણની અસર યુદ્ધ, આતંકવાદ, મેલેરિયા, એચઆઈવી, ક્ષય, ડ્રગ્સ અને આલ્કોહોલ કરતાં ઘણી વધારે છે. સામાન્ય રીતે, સમીક્ષામાં જાણવા મળ્યું છે કે વાયુ પ્રદૂષણને કારણે 6.7 મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે.
વાયુ પ્રદૂષણને કારણે 66.7 લાખ લોકોના મોત
રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે માત્ર વાયુ પ્રદૂષણને કારણે 66.7 લાખ લોકોના મોત થયા છે. ખતરનાક રસાયણોના ઉપયોગથી 17 લાખ લોકોએ જીવ ગુમાવ્યા. વર્ષ 2019માં માત્ર વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં 16.7 લાખ લોકોના મોત થયા હતા. એટલે કે, જો આપણે ગણતરી કરીએ, તો તે વર્ષમાં દેશમાં થયેલા તમામ મૃત્યુના 17.8% હિસ્સો છે.
ભારતના આંકડા ડરામણા છે
ભારતમાં વાયુ પ્રદૂષણથી સંબંધિત 16.7 લાખ મૃત્યુમાંથી મોટાભાગના - 9.8 લાખ - PM2.5 પ્રદૂષણને કારણે થયા હતા. અન્ય 6.1 લાખ ઘરગથ્થુ વાયુ પ્રદૂષણને કારણે થયા હતા. અત્યંત ગરીબી સાથે સંકળાયેલા પ્રદૂષણ સ્ત્રોતોથી થતા મૃત્યુમાં ઘટાડો થયો હોવા છતાં, આ ઘટાડો ઔદ્યોગિક પ્રદૂષણથી થતા મૃત્યુ દ્વારા સરભર કરવામાં આવ્યો છે.
અમેરિકાની સ્થિતિ પણ સારી નથી
ધ લેન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલ અનુસાર,અમેરિકામાં કુલ પ્રદૂષણથી થતા મૃત્યુ માટે ટોચના 10 દેશોમાં કમાત્ર સંપૂર્ણ ઔદ્યોગિક દેશ છે. અહીં વર્ષ 2019માં પ્રદૂષણને કારણે 1,42,883 લોકોના મોત થયા હતા. અમેરિકા 7મા સ્થાને છે. અહેવાલ મુજબ, પ્રદૂષણ સંબંધિત 90% થી વધુ મૃત્યુ ઓછી આવક અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે.