લાહોર: પાકિસ્તાનના લાહોરમાં પૂર્વ પીએમ નવાઝ શરીફના ઘર નજીક આત્મઘાતી હુમલો થયો છે. જેમાં 5 પોલીસકર્મી સહિત 9 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. હુમલાખોરે પોલીસ ચેક પોસ્ટને નિશાન બનાવીને ખુદને ઉડાવી દીધો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ દાવો કર્યો કે આત્મઘાતી હુમલાખોરે હુમલો કરવા માટે બાઈકનો ઉપયોગ કર્યો હતો.
બચાવ અધિકારીના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ નવાઝ શરીફના નિવાસસ્થાનથી થોડા જ કિલોમીટરના ચેક પોસ્ટની નજીક અને ટેબલબે જમાત કેન્દ્રની મંડળની બાજુમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આશરે 25 લોકો ઘાયલ થયા હતા.
વિસ્ફોટમાં પાંચ પોલીસ કર્મચારીઓના મોત થયા છે. વિસ્ફોટમાં 25 લોકો ઘાયલ થયેલા છે. જેમાં અંદાજિત 14 પોલીસ કર્મીઓનો બચાવ થયો છે. જ્યારે ચાર પોલીસ કર્મીઓની સ્થિતિ ગંભીર છે.