રાજસ્થાનના સીકરમાં રવિવારે સાંજે 4 વાગ્યાના સમય ખંડેલા-પલસાના માર્ગ પર ત્રિપલ વાહનોનું અકસ્માત, 9 મોત- 6 ઈજાગ્રસ્ત
રાજસ્થાનના સીકરમાં અકસ્માતમાં 9 મોત, 6 ઈજાગ્રસ્ત
ખંડેલા-પલસાના માર્ગ પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
સાંસદ સુમેદાનંદ સરસ્વતી ઈજાગ્રસ્તો મળવા પહોંચ્યા
રાજસ્થાનના સીકરમાં રવિવારે સાંજે 4 વાગ્યાના સમય ખંડેલા-પલસાના માર્ગ પર ત્રિપલ વાહનોનું અકસ્માત સર્જાયો છે. જે દુર્ધટનામાં 9 લોકોના મોત થઈ છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. પાપ્ત માહિતી અનુસાર ગંભીર રીતે ઈજા પહોંચેલા ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે સીકર રિફર કરવમાં આવ્યાં છે.
Rajasthan | Eight people were killed and nine others injured in a road accident in Sikar district. The accident occurred near Maji Sahab Ki Dhani after a pickup collided with a bike and rammed into another vehicle: Ratan Lal Bhargava, ASP Sikar pic.twitter.com/pOiaXXQLbd
રાજસ્થાનના સીકરમાં અકસ્માતમાં 9 મોત
દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ચકચાર મચી જવા પામ્યુ હતું. પોલીસના જણાવ્યા અનુસાર માજીના ઢાણી પાસે પિકઅપ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જે સમય દરમિયાન સામેથી આવતા ટ્રક સાથે પણ અથડાઈ ગઈ હતી અને જે દુર્ઘટના મોટી સર્જાઈ હતી જેમાં ઘટનાસ્થળે જ 9 લોકોના મોત થયાં હતા
અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત
મૃત્યુ પામનારમાં બાઈક સવાર તેમજ પિક-અપ સવાર 8 આમ કુલ મળીને 9 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ પિક-અપ સવાર સામોદના નિવાસી હતા જ્યારે બાઈક સવાર એક વ્યક્તિ ખંડેલા અને એક સુંદરપુરના હતો. જેમાં ઘાયલ થયેલા લોકોમાં બાઈક સવાર એક મહિલા અને એક બાળક પણ સમાવેશ થાય છે.
સાંસદ સુમેદાનંદ સરસ્વતી ઈજાગ્રસ્તો મળવા પહોંચ્યા
તમને જણાવી દઈએ કે, મૃતદેહોની ઓળખ અજુ સુધી થઈ નથી. જાણવા મળી રહ્યું છે કે, પીકઅપમાં સવાર 20 લોકો ખંડેલા ગણેશ ધામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. અકસ્માતની જાણકારી મળ્યા બાદ સાંસદ સુમેદાનંદ સરસ્વતી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુભાષ મહરિયા ઈજાગ્રસ્તોને મળવા માટે એસ કે હોસ્પિટલ-સીકર પહોંચ્યા હતો.