કેરળમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતી ગણી ગંભીર થઈ ગઈ છે . ભારે વરસાદથી અહીયા 21 લોકોના મોત થયા છે. જેથી ગૃહમંત્રી અમિતશાહે NDRFની ટીમો કેરળમાં રવાના કરી છે.
ભારે વરસાદને કેરળમાં પરિસ્થિતી ખરાબ
ભયંકર વરસાદને કારણે 21 લોકોના મોત
NDRFની 7 ટીમો બચાવના કામોમાં લાગી
Union Home Minister Amit Shah says, 'Continuously monitoring the situation in parts of #Kerala in the wake of heavy rainfall and flooding. The central govt will provide all possible support to help people in need.' pic.twitter.com/J6VOnlZJP0
કેરળના દક્ષિણ અને મધ્ય ભાગમાં ભારે વરસાદને કારણે ઘણી બધી જગ્યાઓ પર પૂર આવ્યું છે જેના કારણે ત્યા પુરને કારણે સૌથી ખરાબ હાલત તઈ ગઈ છે. ઘણી બધી જગ્યાઓ પર ભૂસ્ખલનને થયું છે જેના કારણે 9 લોકોના મોત પણ થયા છે. સાથેજ 12 જેટલા લોકો અહીયા લાપતા હતા તેમના પણ મોત નિપજ્યા છે.
ગૃહમંત્રી શાહે કર્યું ટ્વીટ
પરિસ્થિતીને જોતા ગૃહમંત્રી અમિતશાહે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ વરસાદ અને પૂરની સ્થિતી પર નિરિક્ષણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને શક્ય બને તેટલી મદદ કરી છે. બીજી તરફ બચાવ કાર્યોમાં પણ એનડીઆરએફની ટીમોને મોકલી દેવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યુ કે સૌ કોઈ સુરક્ષીત રહે તેવી અમે પ્રાર્થના કરી રહ્યા છે.
સેનાની મદદ લેવી પડી
કેરળમાં વરસાદને કારણે પરિસ્થિતી એટલી હદે ખરાબ છે કે હાલ રાજ્ય સરકારે બચાવ કાર્યો માટે સેનાની મદદ લેવી પડી છે. વરસાદને કારણે અહીયા ઘણા લોકોના મોત થયા છે. તો ઘણા બધા લોકો અહીયા ગાયબ થઈ ગયા છે.
ભૂસ્ખલનથી બધા ગામ ગાયબ
મોટાભાગના ડેમ અહીયા છલોછલ ભરાઈ ગયા છે. સાથેજ ભૂસ્ખલનોને કારણે પહાડોના ઘણા નાના વિસ્તારો તેમજ નાના ગામો પણ ગાયબ થઈ ગયા છે. હવામામ વિભાગે પણ અહીયા રેડ અને ઓરેન્જ એલર્ય જાહેર કર્યુ છે સાથેજ પદનમટિટ્ટા, એર્નાકુલમ, ઈદ્દુક્કી, કોટ્ટાયમ અને ત્રિસૂરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમા 2 દિવસ આ જિલ્લાઓંમાં બારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
એરફોર્સની ટીમને તૈનાત રહેવા જણાવ્યું
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજે કાલે કેરળમાં ભારે વરસાદ પડી શકે છે. જેથી ત્યા રેસ્ક્યુ અને બચાવ કાર્યોની એનડીઆરએફ ટીમોને તૈનાત કરવામાં આવી છે. સાથે સેના પણ અહીયા લોકોને બચાવાનાકામે લાગી ગઈ છે. કુવલ 7 NDRFની ટીમો અહીયા કામે લાગી ગઈ છે. સાથેજ એરફોર્સની ટીમને પણ અહીયા તૈનાત રહેવા માટે કહેવામાં આવ્યું છે.