તેલંગાણાના વારંગલમાં એક કુવામાંથી 9 પ્રવાસી શ્રમિકોના મૃતદેહ મળ્યાં હોવાને લઇને ખુલાસો થયો છે. પોલીસે દાવો કર્યો છે કે આ લોકોની હત્યા પ્રેમ પ્રકરણના કારણે કરવામાં આવી છે. હત્યાના મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે પ્રાથમિક અનુમાનમાં એવુ માનવામાં આવી રહ્યું હતું કે આ બધા લોકોએ આત્મહત્યા કરી છે. જો કે, પોલીસે આ મામલાને હત્યા માનીને તપાસ કરી રહી હતી. આ બધા લોકો બિહાર અને બંગાળના રહેવાસી હતા અને અહીં એક ફેકટરીમાં કામ કરતા હતા.
જે 9 લોકોના મૃતદેહ મળ્યાં હતાં તેમાં 1 બાળકની અને 1 મહિલાની પણ લાશ હતી. આ બધા શ્રમિકો બંગાળ અને બિહારના રહેવાસી હતા. પોલીસના જણાવ્યાં અનુસાર મોહમ્મદ મકસૂદ આલ અને તેના પરિવારના 4 સભ્યોના મૃતદેહ 21 મેના રોજ કુવામાંથી મળ્યાં હતા. તેના આગલા દિવસે પોલીસે 4 વધુ મૃતદેહ કુવામાંથી નિકાળ્યાં હતા.
પોલીસે મોતનું રહસ્ય ઉકેલ્યું
પોલીસના જણાવ્યાં અનુસાર મકસૂદ બંગાળનો રહેવાસી હતો. તે પોતાની પત્ની, દિકરી અને ત્રણ વર્ષના પૌત્ર અને 2 બાળકો સાથે રહેતો હતો. આ લોકોના મૃતદેહ સિવાય પોલીસને ત્રિપુરાના શકીલ અહેમદ અને બિહારના શ્રીરામ અને શ્યામના મૃતદેહ મળ્યાં હતા. આ બધા એકસાથે એક ફેકટરીમાં કામ કરતા હતા.
To cover up his lover's murder, Bihar man kills nine people in Telangana
કેમ કરી હત્યા?
પોલીસે જણાવ્યું કે સંજય કુમાર અને મકસૂદની લગ્ન કરેલ દીકરી વચ્ચે સંબંધ હતા. મકસૂદની દીકરી પોતાના પતિ છોડીને પિતાની સાથે રહેતી હતી. પરંતુ જ્યારે મકસૂદને સંબંધો અંગે જાણ થઇ ત્યારે તેનો વિરોધ કર્યો. એટલું જ નહીં ત્રિપુરા અને બિહારથી આવેલા લોકોએ મકસૂદને સમર્થન આપ્યું. જેને લઇને સંજયે આ બધાની હત્યા કરી દીધી.
કેવી રીતે કરી હત્યા ?
સંજયે આ લોકોની હત્યા મકસૂદના દિકરાના જન્મદિવસની પાર્ટીમાં કરી હતી. તેણે પહેલા સોફ્ટ ડ્રિંકમાં નશાની ગોળી મિક્સ કરીને બધાને બેભાન કરી દીધા. ત્યાર બાદ તેને ઉઠાવીને કુવામાં ફેંકી દીધા. એક મળતી જાણકારી મુજબ સંજય બિહારનો રહેવાસી છે. પોલીસે આ મામલે 3 લોકોની ધરપકડ કરી છે.
જૂટ ફેકટરીમાં કામ કરતા હતા શ્રમિકો
પોલીસના જણાવ્યાં અનુસાર વારંગલના ગ્રામિણ વિસ્તારોનો મામલો છે. પોલીસને ખબર મળી હતી કે ગીસુગૌંડા મંડળના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના એક કુવામાં શ્રમિકોના મૃતેદહ પડ્યાં છે. પોલીસના જણાવ્યાં અનુસાર આ બધા શ્રમિકો ત્યાંની એક જૂટ ફેકટરીમાં કામ કરતાં હતા.