વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ રાત્રે 9 વાગે 9 મિનીટ માટે દીપ-મીણબત્તી વગેરે પ્રગટવવા માટે અપીલ કરી. દેશવાસીઓને રાત્રે 9 વાગે લાઈટ બંધ કરીને એકતા દર્શાવવા માટે પ્રકાશ ફેલાવવા માટે અપીલ કરી. પીએમની અપીલ બાદ સોશિયલ મીડિયામાં જાતજાતનાં મિમ્સનો વરસાદ શરુ થઇ ગયો.
આજે રાત્રે દેશવાસીઓને દીપ પ્રજ્વલિત કરવા આહ્વાહન
ટ્વીટર ટ્રેન્ડ થયું હમ લાઈટ નહીં બુઝાયેંગે
PMના સમર્થનમાં પણ ઘણા મીમ વાયરલ
સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મમાં પીએમ મોદી પર જાતજાતનાં મીમ વાયરલ થઇ રહ્યા છે. રવિવારે સવારેથી જ ટ્વીટર પર હમ લાઈટ નહિ બુઝાયેંગે ટ્રેન્ડ કરી રહ્યું હતું. બીજી તરફ પીએમના સમર્થનમાં પણ ઘણા લોકો હેશટેગ ટ્રેન્ડ કરાવી રહ્યા હતા. સંસ્કૃતિ અપનાઓ કોરોના ભગાઓ હેશ્ટેગ પર હજારો ટ્વીટ ટ્રેન્ડ કરી રહ્યા હતા.
નરેન્દ્ર મોદીની અપીલ બાદ ઘણા બધા લોકોએ તેના પર વાંધો પણ ઉઠાવ્યો હતો. ઘણા બધા લોકોએ કહ્યું આમ કરવાથી પાવર ગ્રીડ ફેલ થઇ જશે, જોકે બાદમાં તેના પર સરકારે સ્પષ્ટતા પણ કરી હતી. સોશિયલ મીડિયામાં ઘણા લોકોની માંગ છે કે કોરોના વાયરસ સામે જંગમાં માત્ર થાળી વગાડવાથી કે દીવા પ્રજ્વલિત કરવાથી કંઈ ફર્ક નહી પડે. જેના જવાબમાં ઘણા બધા લોકો એકતા માટે આ અપીલનું સમર્થન પણ કરી રહ્યા છે.