નીતિન ગડકરીએ અધિકારીઓને સૂચક નિર્દેશ આપ્યા છે. અધિકારીઓએને નાગપુર સ્થિત પોતાના નિવાસસ્થાને બોલાવી અને ઝડપી નિર્ણયો લેવા તાકિદ કર્યા છે. નીતિન ગડકરીએ કહ્યું કે જેટલા ગોટાળાના કેસ છે તે અંદાજે 89 હજાર કરોડના છે.
નીતિન ગડકરીનો અધિકારીઓને સૂચક નિર્દેશ
અર્થતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે
તાત્કાલિક અસરથી કરે કાર્યવાહી
દેશમાં નાણાની તંગી છે. અને અર્થતંત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે. નીતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને કહ્યું કે હું તમને નહીં કહું કે તમારે શું કરવાનું છે તમારે નક્કી કરવાનું છે કે શું કરવું કે નહીં.
દેશમાં રોકડની પ્રવાહીતા ઓછી છે
ગડકરીએ વધુમાં કહ્યું કે, મેં અધિકારીઓને કહ્યું કે, દેશમાં રોકડની પ્રવાહીતા ઓછી છે અને ઝડપથી નિર્ણયો લેવા જોઇએ. નીતિન ગડકરીનું આ નિવેદન જુદી-જુદી યોજનાઓમાં અટવાયેલી રકમને લઇને હોવાનું સમજવામાં આવી રહ્યું છે.
Union Min Nitin Gadkari in Nagpur: I called senior officials at my home & told them there are cases of around Rs89000cr, I'll not tell you what to do,I'll only tell you economy of country is going through challenging situation,there is shortage of liquidity,take decisions quickly pic.twitter.com/wUzqgG5asX
નોંધનીય છે કે, નીતિન ગડકરીને મોદી સરકારના એવા મંત્રી તરીકે ઓળખવામાં આવે છે જે ખુલીને તમામ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપી શકે છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારના ગઠબંધનને લઇને તેમણે કહ્યું હતું કે રાજનીતિ અને ક્રિકેટમાં ગમે ત્યારે ફેરફાર થઇ શકે છે. તેમના આ નિવેદનની ખુબ જ ચર્ચા પણ થઇ હતી.