આવતીકાલે PM મોદી પોતાના સંસદીય મતક્ષેત્ર વારાણસીમાં આતંરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર 'રુદ્રાક્ષ' નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ અગાઉ પોલીસ દ્વારા 89 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
ભારત-જાપાન દોસ્તીના પ્રતિક સમાન કન્વેન્શન સેન્ટર રુદ્રાક્ષનું કાલે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી મોદીના વિરોધની આશંકા
89 લોકોનું લિસ્ટ તૈયાર, પોલીસ રાખશે નજર
રાજકીય પક્ષો કે અન્ય સંગઠનો દ્વારા થઈ શકે છે વિરોધ
આવતીકાલે વારાણસીમાં PM મોદી દ્વારા ભારત-જાપાન મૈત્રીના પ્રતિક સમાન રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન થવા જઇ રહ્યું છે. આઆ કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષો તથા અન્ય સંગઠનો દ્વારા વિરોધની શંકા સેવાઇ રહી છે. પોલીસ તંત્ર સજ્જ
આ પ્રકારનો કોઈપણ ઉપદ્રવ ટાળવા માટે પોલીસ પ્રશાશન દ્વારા 89 લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી છે. આ તમામ લોકો પર કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે.
2015 થી બનાવવામાં આવી રહેલ રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરને જાપાની શૈલીથી સજાવવામાં આવી રહ્યું છે. જાપાની ફૂલોની સુગંધ રુદ્રાક્ષમાં ફેલાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા છોડ પણ રોપવામાં આવશે. આ કાર્યક્રમમાં રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં ઇન્ડો-જાપાન કળા અને સંસ્કૃતિની ઝલક જોવા મળશે. આ સાથે યોજાનાર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી 500 જેટલા લોકો સાથે સંવાદ પણ કરશે.
કેવું છે ભવ્ય 'રુદ્રાક્ષ' નું બાંધકામ?
વરન્સીમાં સિગરામાં ત્રણ એકર જમીનમાં 186 કરોડની કિંમતમાં બનેલ ભવ્ય રુદ્રાક્ષ સેન્ટરમાં 120 કાર પાર્ક થઈ શકે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 1200 લોકો એક સાથે બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગઓ માટે 6-6 વ્હીલચેર અને અત્યાધુનિક ગ્રીન રુમ પણ બનાવવામાં આવેલ છે. 150 લોકોની ક્ષમતા વાળ બે કોન્ફરન્સ રૂમ અને ગેલરી પણ બનાવવામાં આવી છે જેમાં આધુનિક ઉપકરણો સામેલ છે.