રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રેલવેની કમાણી ઘણી ઓછી રહી છે. કોરોના રોગચાળાએ રેલવેના નાણાકીય સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર કરી છે.
કોરોનાને કારણે રેલ્વેની આર્થિક સ્થિતિ પર લાંબાગાળાની અસર પડી: અશ્વિની વૈષ્ણવ
છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની 87 ઘટનાઓ
કોરોના વાયરસના કારણે રેલ્વેની આર્થિક સ્થિતિ પર લાંબાગાળાની અસર પડી હોવાનું રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું છે. આ સ્થિતિમાં ભાડામાં મુક્તિની મર્યાદાને વરિષ્ઠ નાગરિકો સહિત વિવિધ શ્રેણીઓ સુધી લંબાવવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, આ પડકારો વચ્ચે પણ ભારતીય રેલ્વેએ દિવ્યાંગજનની ચાર શ્રેણીઓ, બીમાર લોકો અને વિદ્યાર્થીઓની 11 શ્રેણીઓને ભાડામાં રાહત આપવાનું ચાલુ રાખ્યું છે.
બે વર્ષમાં રેલવેની કમાણી ઘણી ઓછી રહી: રેલમંત્રી
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં રેલવેની કમાણી ઘણી ઓછી રહી છે. કોરોના રોગચાળાએ રેલવેના નાણાકીય સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર કરી છે.
3 વર્ષમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની 87 ઘટનાઓ
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સરકારે લોકસભામાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની 87 ઘટનાઓ નોંધાઈ છે. આવી ઘટનાઓ ટાળવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં રેલવે મંત્રીએ રજૂ કરેલા આંકડા પરથી આ માહિતી મળી છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે ભારતીય રેલ્વેએ અથડામણને રોકવા માટે સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ 'કવચ' વિકસાવી છે.
ચાઈનીઝ કંપનીને વ્હીલ્સ માટે આપ્યો ઓર્ડર
સરકારે કહ્યું કે રેલ્વેએ ચીનની કંપનીને 39,000 વ્હીલ્સ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. જે યુક્રેનિયન કંપની દ્વારા ઓફર કરાયેલા દર કરતા 1.68 ટકા વધારે છે. રેલવે મંત્રીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે બંને દેશોના સપ્લાયને અસર થઈ છે.