જામનગરના જામજોધપુરમાં બીમારી દૂર કરવાના બહાને 3 સાધુ અને સહિત અન્ય શખ્સોએ 87 લાખ રોકડા અને 83 તોલા સોનું પડાવવાનો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.
જામજોધપુરમાં બિમારી દૂર કરવાના બહાને 1.28 કરોડની છેતરપિંડી
ત્રણ સાધુઓ સહિત અન્ય શખ્સો રોકડ લઇ ફરાર થતા ફરિયાદ નોંધાઇ
બિમારી દૂર કરવા અને કરોડો કમાવી દેવાની લાલચ આપી કરવામાં આવ્યું કારસ્તાન
જામનગરના જામજોધપુરમાં બીમારી દૂર કરવાના બહાને છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. 3 સાધુ સહિત અન્ય શખ્સો રોકડ લઇ ફરાર થતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. બિમારી દૂર કરવા અને કરોડો કમાવી દેવાની લાલચ આપી આ કારસ્તાન કરવામાં આવ્યું છે.
ગીંગણ ગામમાં ખેડૂત પત્ની અને દીકરાને ઠગબાજોએ છેતર્યા હતા. બિમારી દૂર કરવાના બહાને 1.28 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં 3 સાધુ અને સહિત અન્ય શખ્સોએ 87 લાખ રોકડા અને 83 તોલા સોનું પડાવ્યું હતું. હાલ તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સુરતમાં પણ બન્યો છેતરપિંડીનો બનાવ
ગુજરાતમાં છેતરપીંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલ જ સુરતની શિક્ષિકાને શાદી ડોટ કોમ પર રજીસ્ટ્રેશન કરાવવું ભારે પડ્યું. લંડનના ડોક્ટરના નામે શિક્ષિકા સાથે 17.48 લાખની છેતરપિંડી કરી. લંડનના ડો.પ્રશાંત પીટરના નામે ગઠીયાએ શિક્ષિકાનો કર્યો હતો સંપર્ક. ગઠીયાએ દિલ્લી એરપોર્ટ પર લંડનના DDને રૂપિયામાં કનવર્ટ કરવાના નામે પૈસા પડાવ્યા અને જુદી જુદી સર્વિસના ચાર્ડના બહાને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
ગઠીયો પોતાના પરિવાર સાથે ઇન્ડિયા આવી રહ્યાની કરી હતી વાત કરતો રહ્યો અને શિક્ષિકાએ પણ વાતમાં આવી જઈ ધડાધડ રૂપિયા ટ્રાન્સફર કરતી રહી હતી. આખરે છેતરાયાનો અહેસાસ થતાં શિક્ષિકાએ સુરત સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ છે.