ભારતના 61 ટકા કામદારો વધુ સારું જીવન અને નોકરી વચ્ચે સંતુલન સાધવા માટે પગાર વધારો અથવા પ્રમોશન છોડવા તૈયાર
મોટી સંખ્યામાં લોકોએ રિઝાઇન આપવા કરી તૈયારી
આગામી 6 માસમાં 86ટકા સ્ટાફ નોકરી છોડવાના મૂડમાં
61ટકા કર્મીઓ વેતન વધારો-પદોન્નતિ છોડવા તૈયાર
એક તરફ નોકરીઓ મળતી નથી, દેશમાં બેરોજગારી છે તેવું આપણને જાણવા મળે છે તો બીજી તરફ 2022માં પણ કર્મચારીઓનો નોકરી છોડવાના દરમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. સારુ જીવન અને નોકરી વચ્ચે સંતુલન સાધવા માટે 61 ટકા કર્મચારીઓ વેતન વધારો અને પ્રમોશન છોડવા તૈયાર થઇ ગયા છે.
86 ટકા સ્ટાફ આગામી 6 મહિનામાં છોડી શકે છે નોકરી
ભારતમાં જોબ માર્કેટને લઇને મોટો દાવો કરવામાં આવ્યો છે કે એક એમ્પ્લોયમેન્ટ એન્ડ રિક્રૂટમેન્ટ એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશની કંપનીઓનો 86 ટકા સ્ટાફ આગામી 6 માસમાં જ નોકરી છોડવાની યોજના બનાવી રહ્યા છે. આ સિલસિલો બે વર્ષોમાં કોરોના મહામારી બાદ કન્ટીન્યુ રહેશે અને 2022માં વધુ તેજ થઇ શકે છે. આગામી છ મહિનામાં મોટી સંખ્યામાં ટેલેન્ટ માઇગ્રેશનની સંભાવના છે.
11 ટકા રિઝાઇન કોવિડ નીતિ અને કામની વ્યવસ્થાને કારણે
કંપનીની કામની વ્યવસ્થા (હાઇબ્રિડ અથવા વર્ક ફ્રોમ હોમ વગેરે) અને કોવિડ સંબંધિત કંપનીની નીતિઓ અંગે કર્મચારીઓમાં ઘણી નારાજગી છે. પરંતુ, અહેવાલમાં જણાવાયું છે કે, ફક્ત 11 ટકા કર્મચારીઓ એવા છે જેમણે આ કારણોસર રાજીનામું આપ્યું છે અથવા રાજીનામું આપવાની યોજના બનાવી રહ્યા છે.
રાજીનામાના આ મુખ્ય કારણો
રિપોર્ટ અનુસાર, જે કર્મચારીઓના રાજીનામાના મુખ્ય કારણોમાં કારકિર્દીમાં પ્રગતિ, ઉચ્ચ પગાર, નોકરીની ભૂમિકામાં ફેરફાર અને નોકરીમાં સંતોષનો સમાવેશ થાય છે. રાજીનામામાં વધારો થવાનું એ પણ એક કારણ છે કે કર્મચારીઓ યોગ્ય મૂલ્યો અને કાર્ય સંસ્કૃતિ ધરાવતી કંપનીમાં નોકરી શોધી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર પગાર, બોનસ અને પ્રોત્સાહન પુરસ્કારો કર્મચારીઓ માટે સૌથી વધુ પ્રેરક છે. એમ્પ્લોયરો કંપનીની બ્રાન્ડને કર્મચારીની ઓળખ કરતાં 110% સુધી વધુ મહત્ત્વપૂર્ણ માને છે. રિપોર્ટ અનુસાર હાલમાં જે લોકો બેરોજગાર છે તેમાંથી 43 ટકા છ મહિનાથી વધુ સમયથી બેરોજગાર છે.