એક્ટર હવે આઇસીયુથી બહાર છે અને તેમણે પોતે હેલ્થ અપડેટ આપી છે. સાથે તેણે ફેન્સનો આભાર પણ માન્યો હતો અને કહ્યું કે તેમના લંગ્ઝ હજુ પણ 85 ટકા જેટલા ઇન્ફેક્ટેડ છે.
અનિરુદ્ધ દવેની હેલ્થને લઇને ફેન્સ દુઆ કરી રહ્યાં હતા અને હાલમાં જ એક તસવીર શૅર કરી જેમાં લખ્યું છે કે થેન્ક્યુ, મારો નાનો શબ્દ લાગી રહ્યો છે. હું છેલ્લા 22 દિવસથી હોસ્પિટલમાં છુ અને તમારા બધાનો પ્રેમ તેમજ આશીર્વાદ રહ્યો જેના કારણે હું આજે સારુ મહેસુસ કરી રહ્યો છુ. હું સતત ઓક્સિજન સપોર્ટ પર છુ અને 14 દિવસ બાદ આઇસીયુથી થોડો બહાર છું. 85 ટકા ફેફસામાં ઇન્ફેક્શન થયુ છે. મને જાતે શ્વાસ લેવો છે અને જલ્દી મુલાકાત થશે.
અરિજિતની માતાનું પણ થયુ નિધન
અરીજીતની માતા કોરોના પોઝીટીવ હતી અને તેમની હાલત સતત ખરાબ થઇ રહી હતી. તેમને કોલકાતાના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે આજે તે જ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
ફિલ્મ દિલ બેચારાની એક્ટ્રેસ સ્વસ્તિકા મુખર્જીએ ગુરુવારે સોશ્યલ મિડીયા પર પોસ્ટ લખીને મદદ માંગી હતી કારણકે અરીજીત સિંહની માતા હોસ્પિટલમાં દાખલ હતા. સ્વસ્તિકાએ પોતાની પોસ્ટ પર અર્જન્ટ એસઓએસ પણ લખ્યું હતુ. તે સિવાય ડિરેક્ટર શ્રીજીત મુખર્જીએ પણ અરીજીતની માતા માટે મદદ માંગી હતી.
સ્વસ્તિકાએ લખી હતી પોસ્ટ
સ્વસ્તિકા મુખર્જીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરી હતી અને તેણે લખ્યું કે, એ નેગેટીવ બ્લડ ડોનરની જરૂર છે. અરીજીત સિંહની માતા અર્મી ડકૂરીયા હોસ્પિટલમાં દાખલ છે. આજે જ જરૂર ચે અને સ્વાતિને કોન્ટેક્ટ કરો જે પણ વેરિફાઇડ ડોનર્સ છે. આ સાથે સ્વસ્તિકાએ કેપ્શનમાં અર્જન્ટ એસઓએસ પણ લખ્યું છે. ડાયરેક્ટર શ્રીજીત મુખર્જીએ બંગાળી ભાષામાં ટ્વિટર પર પોસ્ટ લખી છે અને તેની સાથે સ્વસ્તિકાએ જે પોસ્ટ લખી છે તે ફોન નંબર પણ મેન્શન કરવામાં આવ્યો છે.
આવું રહ્યું અરીજીતનું કરિયર
તમને જણાવી દઇએ કે અરીજીત સિંહનું કરિયર 2005થી શરૂ થયુ હતુ. જ્યારે તેણે સિંગીંગ રિયાલીટી શો ફેમ ગુરુકુલમાં ભાગ લીધો હતો. અરીજીતને ઓળખાણ તુમ હી હો બાદથી મળવાની શરૂ થઇ હતી. તે પહેલા ઇન્ડસ્ટ્રીમાં તેને ઘણો સ્ટ્રલનો સામનો કરવો પડ્યો છે. અરીજીતે મુંબઇમાં એક સાથે 4 ફ્લેટ ખરીદી લીધા હતા.
આટલી છે ફ્લેટની કિંમત
આ ફ્લેટ્સની કિંમત કરોડોમાં છે. અરિજીતે ફ્લેટ્સ મુંબઈના વર્સોવા વિસ્તારમાં ખરીદ્યા છે. જેને પોશ વિસ્તારોમાંથી એક ગણવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, અરિજીતે ખરીદેલા ચારેય ફ્લેટ 7 બંગલોમાં સવિતા સીએચએસ નામના બિલ્ડિંગમાં છે. પહેલાં ફ્લેટની પહેલા ફ્લેટની કિંમત 1.80 કરોડ રૂપિયા છે. આ ફ્લેટ છઠ્ઠા માળે છે. આ જ ફ્લોર પર અરિજીતે વધુ ત્રણ ફ્લેટ ખરીદ્યા છે. જેની કિંમત 2.20 કરોડ, 2.60 કરોડ અને 2.50 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે, ચાર ફ્લેટ અરિજીતે લગભગ 9.1 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.