દેશમાં ઘણી જગ્યાએ લોકોએ કોરોના વેક્સિન લગાવી નથી. જ્યારે બિહારમાં 84 વર્ષના દાદાને કોરોના વેક્સિન લગાવવાની ધુન સવાર છે.
બિહારમાં 84 વર્ષના દાદાને કોરોના વેક્સિન લગાવવાની ધુન સવાર
ઔરાય ગામના બહ્મદેવ મંડળે 11 વખત કોરોનાની વેક્સિન લીધી
રસી લીધા બાદ દાદાના ઘૂંટણમાં દુ:ખાવો ઓછો થયો
અલગ-અલગ સ્થાનો પર 11 વખત વેક્સિન લીધી
ખરેખર, મધેપુરા જિલ્લાના પુરૈની બ્લોકના ઔરાય ગામના બહ્મદેવ મંડળે અલગ-અલગ સ્થાનો પર 11 વખત કોરોનાની વેક્સિન લીધી છે. તેમનું કહેવુ છે કે તેનાથી તેમને ખૂબ ફાયદો થયો છે. રસી લીધા બાદ તેમના ઘૂંટણમાં દુ:ખાવો ઓછો થયો છે. જેના કારણે તેમણે રસીના વધુ ડોઝ લીધા. તેમણે લાંબા સમય સુધી ગ્રામ્ય ડોકટરનું પણ કામ કર્યુ છે.
84 વર્ષીય દાદા મોબાઈલ નંબર બદલીને વેક્સિન લેતા હતા
મીડિયા રિપોર્ટસ મુજબ, કોરોના વેક્સિનનો 12મો ડોઝ લીધા બાદ જ્યારે તેઓ ચૌસા સેન્ટર પર ગયો ત્યારે લોકોએ તેમને ઓળખી લીધા. ત્યારબાદ સમગ્ર મામલાનો ખુલાસો થયો. તેઓ મોબાઈલ નંબર બદલીને વેક્સિન લેતા હતા. મેડિકલ ઓફિસર ડૉ. વિનય કુમારે જણાવ્યું કે આ કેસની તપાસ ચાલી રહી છે. સિવિલ સર્જન તપાસ માટે પુરૈની નિકળી રહ્યાં છે.
Bihar: 84-year-old Brahamdev Mandal, a resident of the Puraini area of Madhepura district, claims that he has taken 11 doses of Covid vaccine
"I never fell ill since I started taking the vaccine and my health has started to improve," says Brahamdev pic.twitter.com/A23E690A4W
મહત્વનું છે કે, બહ્મદેવ મંડળ પોસ્ટ વિભાગના નિવૃત્ત કર્મચારી છે. તો સિવિલ સર્જન ડૉ. અમરેન્દ્ર નારાયણ શાહીએ જણાવ્યું કે ID બદલીને વારંવાર રસી લેવી નિયમની વિરુદ્ધ છે. આ મામલાની તપાસ કરવામાં આવશે.