કોરોનાને ધ્યાનમાં રાખીને માર્ચના છેલ્લા અઠવાડિયાથી ટ્રેન સેવા બંધ હતી. જોકે વચ્ચે શ્રમિક તથા સ્પેશિયલ ટ્રેનો શરુ કરવામાં આવી હતી. એ બાદ આજથી એટલે કે 12 સપ્ટેમ્બરથી ઈન્ડિયન રેલવે 40 વધુ સ્પેશિયલ ટ્રેનોની સેવા શરુ કરી રહ્યુ છે. આ ટ્રેન માટે શુક્રવારે તાત્કાલીક બુકિંગ પણ કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે 80 ટ્રેન પહેલાથી ચાલી રહેલી 30 સ્પેશિયલ રાજધાની અને 200 સ્પેશિયલ મેલ એક્સપ્રેસ ટ્રેનોથી અલગ હશે.
દેશમાં ચાલી રહેલી કુલ ટ્રેનની સંખ્યા 310 થઈ ગઈ
80 ટ્રેન પહેલાથી ચાલી રહેલી ટ્રેનોથી અલગ હશે
નમાં મુસાફરી કરવા માટે નિયમો પાળવા પડશે
હવે આ ટ્રેનોની સેવા શરુ થયા બાદ દેશમાં ચાલી રહેલી કુલ ટ્રેનની સંખ્યા 310 થઈ ગઈ છે. રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે પહેલા જ કહ્યુ હતુ કે ટ્રેનોની યાદી જોતા સમજાય છે કે વેટિંગ લિસ્ટ લાંબુ છે. જાણો કેવી રીતે 80 ટ્રેનોનું બુકિંગ થશે અને આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે કયાં નિયમો પાળવા પડશે. જાણો કેવી રીતે થશે બુકિંગ.
મુસાફરી કરનારને આ નિયમોનું પાલન કરવું છે જરૂરી
યાત્રીઓને યાત્રાનો સમય પહેલાં 90 મિનિટ વહેલા સ્ટેશન પહોંચવાનું રહેશે જેથી થર્મલ સ્ક્રીનિંગની પ્રક્રિયા પૂરી કરી શકાય.
રેલવેની તરફથી ગાઈડલાઈન જાહેર કરાઈ છે તે અનુસાર ફક્ત કન્ફર્મ ટિકિટની મદદથી જ મુસાફરી કરી શકાશે.
યાત્રીઓએ આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવાની રહેશે.
યાત્રા સમયે કંબલ. ચાદર, પડદા આપવામાં આવશે નહીં.
ટ્રેનમાં ચઢતી સમયે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
યાત્રીઓએ માસ્ક પહેરવું પણ ફરજિયાત રહેશે.
ટ્રેનમાં પકાવેલું ભોજન નહીં મળે. તે સમયે પેકેજ ફુડ આપવામાં આવશે.
આ સિવાય ટ્રેનમાં મુસાફરી કરવા રિઝર્વેશન પણ જરૂરી છે. તો તમે IRCTCની વેબસાઈટથી સરળરીતે બુકિંગ કરી શકો છો. આ સિવાય તમે રેલ્વેના રિઝર્વેશન કાઉન્ટર પર જઈને પણ ટ્રેનની ટિકિટનું બુકિંગ કરાવી શકો છો. યાદ રાખો કે મુસાફરી દરમિયાન તમારે કેટલાક નિયમોનું પાલન કરવાનું જરૂરી રહેશે.
કોરોના મહામારીની વચ્ચે ટિકિટ કાઉન્ટરથી ટિકિટ બુક કરાવી શકાય છે. તેમાં કોરોનાનો ખતરો વધારે રહે છે. એવામાં તમે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન રેલ્વે માટેની બુકિંગ કરાવી શકો છો. તમે irctc.co.in પરથી ટિકિટ બુક કરાવી શકો છો.