નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળોનો આજે અંત આવ્યો છે. નરેશ પટેલે આજે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેઓ રાજકારણમાં પ્રવેશ નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે
80% યુવાનો અને 50% મહિલાઓએ રાજકારણમાં જવાની સલાહ આપી
વડીલોએ રાજકારણમાં ન જોડાવવાની સલાહ આપી
વડીલોની સલાહને કારણે રાજકારણમાં જવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ
વડીલોની સલાહને કારણે રાજકારણમાં જવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ
નરેશ પટેલના રાજકારણમાં જવા અંગેના સસ્પેન્માંથી પરદો ઉંચકાયો છે. નરેશ પટેલે રાજકારણમાં જવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. રાજકોટ ખાતે આજે બપોરે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં તેમણે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. નરેશ પટેલે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમાજમાં થયેલા સર્વે અનુસાર 50% મહિલાઓ અને 80% યુવાનો એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ, પણ વડીલોનું માનવું એવું છે કે મારે પોલિટિક્સમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલપૂરતો જ મોકૂફ રાખવામાં આવ્યો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2022
નરેશ પટેલે ખોડલધામના નેજા હેઠળ પોલિટિકલ એકેડમીની જાહેરાત કરી
નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, ખોડલધામ સંસ્થા વિશ્વસ્તરે પહોંચી છે અને અહીં તમામ સમાજમાં લોકો અહીં આવે છે. જેમનો આભાર માનું છું. મૂળ વાત રાજકારણમાં પ્રવેશવાની છે. કોરોનાકાળમાં લોકોની જેમ મારી પાસે પણ ઘણો સમય હતો. જેમાં સરદાર સાહેબ અને અન્ય સ્વતંત્ર સેનાનીઓને વાંચ્યા ત્યારે મને થયું કે રાજકારણમાં આવીને પણ ઘણી સેવા થઇ શકે. આ મારો વ્યક્તિગત વિચાર હતો. જ્યારે મેં આ વિચાર સમાજ વચ્ચે મૂક્યો ત્યારે લોકોની લાગણી હતી કે, સમાજને પણ આ અંગે પૂછવું જોઇએ. આ અંગે અમે સર્વે પણ કરાવ્યો હતો. આનો રિપોર્ટ એવો છે કે, વડીલો ઘણી ચિંતા કરે છે, બહેનો અને યુવાનો હજી ઇચ્છે છે કે હું રાજકારણમાં આવું. ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે, ખોડલધામના નેજા હેઠળ, પોલિટિકલ એકેડમીની જાહેરાત કરીએ છીએ. આમાં અમે તમામ સમાજના યુવાનોને આવકાર્યે છીએ.
જો હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો એક જ પાર્ટીનો થઈ જાઉં: નરેશ પટેલ
નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, 'વડીલોની ચિંતા, સમાજનું સંગઠન, હું કોઇ પણ પાર્ટીમાં જોડાઉ તો આપ સમજો છો એમ હું કોઇ એક પાર્ટીનો થઇ જાઉં. દરેક સમાજ વચ્ચે રહીને હું કામ ન કરી શકું. ત્યારે વડીલોની ચિંતા મને થોડી યોગ્ય લાગી. ઘણા બધા પ્રકલ્પો જેવાં કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી જે દરેક સમાજને સ્પર્શવાના છે. ત્યારે આવા ખૂબ મોટા પ્રકલ્પો ખોડલધામના બાકી રહ્યાં છે ત્યારે આ પ્રકલ્પોને વેગ આપું, એને આગળ વધારું, ગુજરાતની જનતાને દરેક સમાજને આમાં લાભ મળે એવાં પ્રયત્નો મારી આગેવાની નીચે ખોડલધામ ચાલુ કરે. આ બાબતથી હાલ રાજકારણમાં મારા પ્રવેશને હું હાલ પૂરતો મોકુફ રાખું છું. આ જે પ્રકલ્પો છે તેને ટૂંક સમયમાં જ રાજકોટ નજીક અમરેલી ગામે ખોડલધામ તેને રોલમોડલ તરીકે આગળ વધારવા માંગે છે.'
સમય અને સંજોગ શું કરાવે તે આપણને કે કોઇને પણ ખબર ના હોય: નરેશ પટેલ
રાજકારણને લઇને તેઓએ જણાવ્યું કે, 'મારો રાજકારણમાં પ્રવેશ હાલ પૂરતો મોકુફ જ છે. એટલે કે આમ તમે રદ જ ગણી શકો. પણ સમય અને સંજોગ શું કરાવે તે આપણને કે કોઇને પણ ખબર ના હોય. આને પોલિટિકલ પ્રેશર ના કહી શકાય. કેમ કે જો પોલિટિકલ પ્રેશર હોત તો હું પહેલેથી રાજકારણમાં જવાનો નિર્ણય ના લઉં.'
હજુ પણ કદાચ લોકો મને મળવા આવશે. આ પણ શક્ય છે: નરેશ પટેલ
નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, 'હજુ પણ કદાચ લોકો મને મળવા આવશે. આ પણ શક્ય છે. તો મને પૂછીને જ જે વાત કરવી તે કરજો. 2022ની અંદર દરેક પક્ષમાં પાટીદારો હોય અથવા અન્ય સમાજના પણ લોકો મારી મદદ માંગવા આવશે તો હું તેમને મદદ કરીશ.'