બુર્કિના ફાસોમાં થયેલા હુમલામાં શંકાસ્પદ જેહાદીઓએ 59 નાગરિકો સહિત 80 લોકોની હત્યા કરી દીધી હતી
બુર્કીના ફાસો દેશમાં થયેલા હુમલામાં શંકાસ્પદ જેહાદીઓએ 59 નાગરિકો સહિત 80 લોકોની હત્યા કરી દીધી હતી ત્યાર બાદ હવે બુર્કિના ફાસોના રાષ્ટ્રપતિએ ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
આ હુમલો ઇસ્લામવાદી સંગઠનો દ્વારા છેલ્લા કેટલાક સમયમાં કરવામાં આવેલો સૌથી મોટો હુમલો હતો.
સરકાર અને સૈન્યએ ગુરુવારે જણાવ્યું હતું કે, ગોરગડજી નગર નજીક બુધવારે થયેલા હુમલામાં છ સરકાર તરફી લશ્કરી સૈનિકો અને 15 લશ્કરી પોલીસના મોત થયા હતા. બુધવારે પ્રારંભિક મૃત્યુઆંક 47 પર મૂકવામાં આવ્યો હતો.
સૈનિકો અને લશ્કરી દળો ઉત્તરીય બુર્કિનાના અન્ય શહેર અરબિન્ડા તરફ જતા નાગરિકોની સુરક્ષા કરી રહ્યા હતા. સરકારના જણાવ્યા અનુસાર, સામસામી ગોળીઓ છૂટી અને આ લડાઇમાં, સુરક્ષા દળોએ 58 "આતંકવાદીઓ" ને મારી નાખ્યા હતા. ઓગણીસ લોકો ઘાયલ થયા હતા. બચાવ અને રાહતની કામગીરી ચાલુ છે.