આવનારા સમયમાં દેશવાસીઓને મોંઘી દવાઓથી રાહત મળી શકે છે. ઘરેલૂ દવા ઇન્ડસ્ટ્રી અને ઉદ્યોગપતિઓને પ્રાઇસ કંટ્રોલથી બહારની દવાઓ પર ટ્રેડ માર્જિન 30 ટકા સુધી રાખવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી છે. આ પગલાથી દેશની લગભગ 80 ટકા દવાઓની કિંમત ઘટશે.
આવનારા સમયમાં દેશવાસીઓને મોંઘી દવાઓથી રાહત મળી શકે છે
દવા ઇન્ડસ્ટ્રી પ્રાઇસ કંટ્રોલથી બહારની દવાઓ પર ટ્રેડ માર્જિન 30 ટકા સુધી રાખવા પર સહમત
કેન્દ્ર સરકારના પગલાથી દેશની લગભગ 80 ટકા દવાઓની કિંમત ઘટશે
શુક્રવારે ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર, ફાર્મા લોબી ગ્રુપ તથા ઉદ્યોગ સંગઠનો વચ્ચે થયેલ બેઠકમાં પ્રસ્તાવ પર સહમતિ દર્શાવાઇ છે. બેઠકમાં હાજર સૂત્રોએ આમ જાણકારી આપી છે. ટ્રેડ માર્જિન પર 30% ની ઉપરી સીમાને અન્ય પ્રસ્તાવો જેવા કે, પ્રાઇસ કંટ્રોલ વાળી દવાઓ સહિત તમામ દવાઓ પર ફ્લેટ 100 % ટ્રેડ માર્જિન પર ધ્યાને લેવામાં આવી.
ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ( IDMA ) ના પ્રેસિડેન્ટ દીપનાથ રોય ચૌધરીએ કહ્યું, ટ્રેડ માર્જિનના રેશનલાઇઝેશનમાં અમને કોઇ મુશ્કેલી નથી. કેન્સર રોગની દવાઓ પર પણ ટ્રેડ માર્જિનને 30 % પર ફિકસ્ કરાયું છે, જે ઠીક છે. જો તેને અન્ય ઉત્પાદનો પર પણ લાગૂ કરવામાં આવે છે તો, તેને તબક્કા વાર લાગૂ કરવામાં આવવા જોઇએ.
સૂત્રોનો દાવો છે કે, તમામ ભારતીય અને બહુરાષ્ટ્રીય ફાર્મા લોબી 30 %ની ઉપરી સીમાથી સહમત હતા. આ માર્જિન સ્ટોકિસ્ટોના પ્રાઇસથી 43 % માર્ક-અપથી સમતુલ્ય છે.
સરકારના આ પગલાથી જેનરિક ડિવિજન્સની સાથે મોટી ફાર્મા કંપનીઓ પર અસર પડવાની સંભાવના છે. કેમકે તેમને મેક્સિમમ રિટેલ પ્રાઇસ ( MRP ) માં ઘટાડો કરવો પડશે. મેનકાઇન્ડ ફાર્માના ચેરમેન આરસી જુનેજાએ ટ્રેડ માર્જિનને 30 % પર ફિક્સ કરવાના પ્રસ્તાવને ગ્રાહકો માટે ફાયદાકારક બતાવતા કહ્યું છે કે તેથી ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે.
ફિલિપ કેપિટલના ફાર્મા એનાલિસ્ટ સૂર્ય પાત્રાએ કહ્યું કે, પ્રાઇસ કંટ્રોલના દાયરાથી બહારની દવાઓ પર 30 ટકાનો ટ્રેડ માર્જિન પહેલાથી જ ચલણમાં છે. તેમા રિટેલરનો 20 ટકા અને હોલસેલરનો 10 ટકા માર્જિન હોય છે. તેથી નવા પ્રસ્તાવના લાગૂ થયા બાદ દવાઓની કિંમતોમાં વધારે ઘટાડો નહીં આવે. દવા કંપનીઓ જે કિંમત પર સ્ટોકિસ્ટને માલ વેચે છે અને જે કિંમત ગ્રાહક પાસેથી વસૂલવામાં આવે છે. તેમની વચ્ચેના અંતરને ટ્રેડ માર્જિન કહેવામાં આવે છે.