સુરતના કઠોરની એક કોલોનીમાં ઝાડા ઊલટીના એટલા કેસ સામે આવ્યા છે કે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતના કઠોરની વિવેકનગર કોલોનીમાં ઝાડા ઊલટીના કેસ
એક દિવસમાં 80થી વધુ લોકોને ઝાડા-ઊલટી
6 દર્દીના મૃત્યુ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ
સુરતમાં ઝાડા-ઊલટીનો ભરડો, 6 લોકોના મોતથી ફફડાટ
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કારણે જે હાહાકાર જોવા મળ્યો તેમાં સુરતમાં ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે હવે સુરત સહિત આખા ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે ઓછા થઈ ગયા છે. જોકે સુરતના કઠોરની એક કોલોનીમાં ઝાડા ઊલટીના એટલા કેસ સામે આવ્યા છે કે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
VTVની ટીમ પહોંચી જતાં તંત્રમાં મચી ગઈ દોડધામ
સમગ્ર મામલે VTVની ટીમ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા પહોંચતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક નિરીક્ષણ કરવા માટે મનપા કમિશનર, મેયર અને ડેપ્યુટી મેયર કઠોર પહોંચી ગયા હતા. તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે મેયર ફંડમાંથી સારવાર માટે પીડિતોને ફંડ આપવામાં આવશે જ્યારે મૃતકોના પરિજનોને પણ સહાય આપવામાં આવશે.
શું છે આખો મામલો
સુરતના કઠોરમાં આવેલ વિવેકનગર કોલોનીમાં ઝાડા ઊલટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. એક જ દિવસમાં 80થી વધુ લોકોને ઝાડા-ઊલટી થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે 6 દર્દીઓના મોત થઈ જતાં સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અત્યારે પણ 80થી વધારે દર્દીઓ સરકારી દવાખાનામાં સારવા લઈ રહ્યા છે. સ્થાનિકોને આશંકા છે કે પીવાના પાણીની લાઇનમાં પ્રદૂષિત પાણી આવતું હોવાના કારણે આ પ્રકારના કેસ સામે આવ્યા છે. દોડતા થયેલા તંત્ર દ્વારા લોકોમાં ક્લોરિનની દવાનું વિતરણ કરવાઆઆ આવ્યું છે.