કલ્યાણપુરના ગઢકા ગામે 8 વર્ષની બાળકી પર વીજ વાયર પડતા તેનું કમકમાટી ભર્યું મોત, ચાસલાણા ગામના વાડી વિસ્તારમાં કંરટ લાગતા 2 યુવકોના પણ મોત
દ્વારકામાં વીજ વિભાગની બેદરકારી સામે આવી
8 વર્ષની બાળકી પર વીજ વાયર પડતા બાળકીનું મોત
ચાસલાણા ગામના વાડી વિસ્તારમાં 2 યુવકોના મોત
દ્વારકાના કલ્યાણપુરમાં તંત્રની બેદકારીના કારણે માસુમ બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કલ્યાણપુરના ગઢકા ગામે 8 વર્ષની બાળકી પર વીજ વાયર પડતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. વીજ વાયરના જોખમ વિષે વીજ વિભાગને અનેક વાર જાણ કરવામાં આવી છતા પણ તંત્ર દ્વારા કોઈ ફરિયાદ સાંભળવામાં ન આવતા આજે એક માસુમ બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
8 વર્ષની બાળકી પર વીજ વાયર પડતા બાળકીનું મોત
મહત્વનું છે કે અત્યાર સુધી કલ્યાણપુર તાલુકામાં જીવંત વીજળીના તારના કારણે 3 લોકોના મોત નિપજ્યા છે. થોડા દિવસ અગાઉ પણ ચાસલાણા ગામના વાડી વિસ્તારમાં બે યુવકોના વીજ તારના લીધે મોત થયા હતા. એક યુવક લાઈટ રીપેર કરવા જતા તેને કંરટ લાગ્યો હતો જ્યારે બીજા યુવક તેને બચાવવા જઈ રહ્યો હતો ત્યારે તેનું પણ કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું.
ચાસલાણા ગામના વાડી વિસ્તારમાં 2 યુવકોના મોત
અહીં તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. PGVCLના અધિકારીઓને વીજ તાર રિપેર કરવાની કહેવામાં આવ્યું છે પરતું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અત્યાર સુધીમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. વીજ વાયર બાળકી ઉપર પડતા તેનું મોત નિપજ્યું તેના માટે તંત્ર જ જવાબદાર છે તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.