અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આઠ ગામને ભેળવવા સામે વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. આવડા અમદાવાદનો એક છેડો કડી સુધી, એક સાણંદ, આમ આંબલી, શિલજ, બોપલ, ઘુમા, શેલા, ભાડજ, વૈષ્ણવદેવી સહિત SP રિંગરોડ ની વળોટીને અમદાવાદમાં બીજા ગામોને ભેળવવાની તજવીજ હાથ ધરી દેવામાં
ગાંધીનગર તાલુકાના આઠ ગામ કરી રહ્યા છે વિરોધ
ગાંધીનગર વિધાનસભા બેઠકમાં આવશે મુશ્કેલી
અમદાવાદમાં ભેળવવા તજવીજ
પહેલા લાગતા વળગતા રાજનેતાઓએ SP રીંગરોડ આસપાસ જમીન ખરીદી પછી ત્યાં રહેણાંકના મોંઘી દાટ સ્કીમ બની. જમીનના ભાવ અચાનકથી વધવા લાગ્યા અને હવે એ તમામને ટીપમાં આવરી લેવા અમદાવાદની સરહદમાં ભેળવી લેવામાં આવશે.
આઠ ગામના સરપંચ કરી રહ્યા છે વિરોધ
પહેલા 132 ફૂટ પછી એસજી હાઈવે અને પછી એસપી રીંગરોડને ગાંધીનગર તાલુકાના આઠ ગામને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં ભેળવી દેવાની બાબતે હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ મુદ્દે વિરોધ વ્યાપક બન્યો છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતની સભામાં વિરોધી ઠરાવ
સરપંચોના સતત વિરોધ બાદ હવે સાંસદ હસમુખભાઇ પટેલ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરે પણ વિરોધના મુદ્દે ઝંપલાવ્યું છે ગાંધીનગર જિલ્લા પંચાયતની સભામાં પણ વિરોધી ઠરાવ પસાર કરાયો છે.
ગાંધીનગર તાલુકા પંચાયતને થશે નુકસાન
સાંસદ અને ધારાસભ્યે મુખ્યપ્રધાનને પત્ર લખીને ગ્રામજનો વિરોધમાં હોવાનું જણાવ્યું છે. વિધાનસભા મત વિસ્તાર ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે ગાંધીનગરના ભાટ, સુઘડ, કોટેશ્વર, ઝુંડાલ, ખોરજ, નાના ચિલોડા, અમિયાપુર અને રણાસણને અમદાવાદમાં ભેળવી દેવા મહાપાલિકાએ કરેલા નિર્ણયથી રાજકીય નજરે જોવાય તો ગાંધીનગર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા મત વિસ્તારમાં નુકસાન થાય તેમ હોવાથી આ નિર્ણય ન કરવા અમે સીએમને વિનંતી કરી છે.
અમિત શાહને પત્ર લખી કરી રજૂઆત
સરપંચો દ્વારા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ પત્રદ્વારા રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદ મનપામાં ગામડાંઓને ભેળવવા મુદ્દે ગ્રામજનોમાં વ્યાપક
વિરોધ છે.