કકરિયાલઃ જમ્મૂ-કશ્મીરમાં આજે બે જુદી-જુદી જગ્યાઓ પર સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું. જમ્મૂ-કશ્મીરમાં અથડામણ દરમિયાન એક જ દિવસમાં આઠ આતંકીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા છે. ખીણના રિયાસી જિલ્લામાં અથડામણમાં સેનાના જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ અથડામણમાં નગરોટાના પોલીસ ઉપાધીક્ષક સહિત 12 સુરક્ષાકર્મી ઇજાગ્રસ્ત થયા છે. આ પહેલા સેનાના સોપોર અથડામણમાં 2 અને LOCથી જોડાયેલ કેરન સેક્ટરમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બંદોબસ્ત અને સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ રિયાસી જિલ્લાના કકરિયાલ વિસ્તારમાં એક ઘર નજીક પહોંચી ગયા અને આતંકવાદીઓને ઘેરી લીધા. તેમણે જણાવ્યું કે સીઆરપીએફ પોલીસ અને સેનાના જવાનોની સાથે તેની પાસે પહોંચતા જ અથડામણ શરૂ થઇ ગઇ હતી. અધિકારીઓએ જણાવ્યું કે સેનાના જેઇએમના 3 આતંકાવાદીઓની શોધખોળ કરવા માટે બુધવારે અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં ડ્રોન અને હેલિકોપ્ટરોને ઉપયોગ કરવામાં આવ્યો. આ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આતંકવાદીઓની ઉંમર 18થી 22ની વચ્ચે હતી.
#WATCH: Encounter underway between security forces & terrorists in Jammu's Kakriyal. 2 terrorists have been killed so far & 9 security personnel have been injured. Locals & journalists take cover. Visuals are deferred. #JammuAndKashmirpic.twitter.com/NLuGQkBCKP
આ અથડામણથી સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો ફંસાઇ ગયા હતા અને તેઓ તમામ સ્થાનીક લોકો જમીન પર સુતેલા નજરે આવી રહ્યા છે. આ વીડિયોમાં પત્રકાર પણ કેમેરા સાથે જમીન પર સુતેલા નજરે પડી રહ્યા છે.
પોલીસે જણાવ્યું કે અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા અને પોલીસ ઉપાધિયક્ષ સહિત 12 સેનાના જવાન ઇજાગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે અભિયાન દરમિયાન ઇજાગ્રસ્ત થયેલ જવાનોને કટરાના નારાયણ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
આ વિસ્તારમાં હજૂ પણ આતંકીઓ છુપાયા હોવાની શંકા છે. જેના કારણે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો બારામૂલામાં ઈન્ટરનેટ સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે. ઠાર કરાયેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર પણ મળી આવ્યા છે.