પૂર્વોત્તર રાજ્યોમાં જોર પકડી રહેલું સંક્રમણ એ વાતના સંકેત આપી રહ્યું છે કે દેશમાં ત્રીજી લહેર નજીક છે.
દેશમાં ત્રીજી લહેર નજીક છે
ચાર રાજ્યોમાં હાલત બેકાબૂ
પૂર્વોત્તરમાં રાષ્ટ્રીય સરેરાશથી વધારે સંક્રમણ
દેશમાં ત્રીજી લહેર નજીક છે
આ સમયે 8 રાજ્યોમાં વધતા સંક્રમણે પૂરા દેશની ચિંતા વધારી છે. જેમાં 7 રાજ્યો પૂર્વોત્તરના છે. જ્યારે એક અન્ય રાજ્ય કેરળ છે. જ્યાં સંક્રમણ દર બહુ વધારે છે. સ્થિતિને જોતા પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે પૂર્વોત્તર ના તમામ રાજ્યોના સીએમની સાથે વાત કરી જાણકારી લીધી છે.
ચાર રાજ્યોમાં હાલત બેકાબૂ
પૂર્વોત્તરની ચાર રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ નિયંત્રણથી બાહર છે. સરકારી આંકડાના મુજબ સિક્કિમમાં તપાત પોજિટિવિટી દર 19.5 ટકા, મણિપુરમાં 15 , મેઘાલયમાં 9.4 અને મિજોરમમાં 11.8 ટકા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માને છે કે જ્યારે તપાસ પોઝિટિવિટી દર 10 ટકા અથવા તેના કરતા વધારે થઈ જાય તેને મતલબ છે કે સંક્રમણ નિયંત્રણથી બહાર થઈ ચૂક્યા છે. પૂર્વોત્તરના 3 અન્ય રાજ્યો- અરુણાચલ પ્રદેશ(7.4 ટકા), નાગાલેન્ડ (6 ટકા) અને ત્રિપુરા(5.6 ટકા)માં સંક્રમણ દર5 ટકાથી વધારે બનેલા છે. જ્યારે હાલમાં આસામ (2 ટકા)માં સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે.
પૂર્વોત્તરમાં રાષ્ટ્રીય સરેરાશથી વધારે સંક્રમણ
આ સમયે દેશમાં કોરોનાની તપાસ પોઝિટિવિટીનો દર 2.3 છે. જેના સરખાણમીએ પૂર્વોત્તરના રાજ્યોની તપાસ પોઝિટિવીટી દર 7 ગણો વધારે છે. એટલે કે પૂરા દેશમાં જે ગતિએ સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેની સરખામણીએ પૂર્વોત્તરમાં સ્થિતિ ઘણી વધારે ખરાબ છે. ઉલ્લેખનીય છે કે તપાસ પોઝિટિવિટી દર એ વાત દર્શાવે છે કે એક દિવસની અંદર તપાસ કરવામાં આવેલા નમૂનામાંથી કેટલા ટકા નમુના સંક્રમિક થયા છે.
કેન્દ્ર એલર્ટ 45 જિલ્લામાં હાલ બેહાલ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ આ સમયે દેશના 73 જિલ્લામાં સંક્રમણનો દર એટલે કે પોઝિટિવિટી દર 10 ટકા બનેલો છે. જેમાંથી 45 જિલ્લા પૂર્વોત્તરના રાજ્યોના છે. તેને જોતા ગત અઠવાડિયે કેન્દ્રની વિશેષજ્ઞોની ટીમને આ રાજ્યોમાં મોકલવામાં આવી હતી જેથી સંક્રમણના કારણે અંગે જાણી તેને રોકી શકાય.
ત્રીજી લહેર શરુ થવાનો દાવો
પૂર્વોત્તરની ખરાબ સ્થિતિની વચ્ચે હૈદરાબાદ યુનિવર્સિટીના વરિષ્ઠ ભૌતિર વિજ્ઞાની અને પૂર્વ કુલપતિ ડો. વિપિન શ્રીવાસ્તવે દાવો કર્યો છે કે ગત 4 જુલાઈથી દેશમાં કોવિડના સંક્રમણ અને મોતાની પેટન એવી જ જોવા મળી રહી છે. જેવી આ વર્ષે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં હતી. આ જ મામલે એપ્રિલના અંત સુધી દેશમાં ગંભીર રુપ લઈ ચૂક્યા હતા. આ આધાર પર કોરોનાની ત્રીજી લહેરની શરુઆતની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે આઈએમએએ સરકારને ચેતવણી આપી છે કે જો પ્રવાસન સ્થળો અને ધાર્મિક સમારોહમાંથી ભીડ ઓછી ન થઈ તો ભયંકર બની શકે છે ત્રીજી લહેર. કેરળ પણ ચિંતા વધારી રહ્યું છે.