8 sikh regiment ex sepoy satpal singh who killed pakistani gallantry awardee captain sher khan in tigar hill combat working as traffic constable in punjab sangroor
પંજાબના સંગરૂર જિલ્લા સ્થિત એક નાના શહેર ભવાનીગઢમાં ચાર રસ્તા પર હેડ કૉન્સ્ટેબલ સતપાલ સિંહ ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવામાં વ્યસ્ત છે. પરંતુ તેમની વર્ધી પર જ્યારે આપની નજર પડશે તો તમને માલૂમ થશે કે તેઓ સામાન્ય ટ્રાફિક પોલીસકર્મી નથી. સતપાલ સિંહે પોતાના શર્ટ પર ચાર મેડલ પહેરી રાખ્યા છે. જેમાંથી એક અડધું લીલું અને અડધું નારંગી રંગનું છે એટલે કે "ધ વીર ચક્ર."
વીસ વર્ષ પહેલા સતપાલ સિંહ ભારતીય સેનામાં એક સિપાહી હતા. સતપાલ કારગિલ યુદ્ધ દરમ્યાન ટાઇગર હિલ પર પાકિસ્તાની સેનાના જવાબી હુમલાથી મુકાબલો કરી રહ્યાં હતાં. આ દરમ્યાન તેઓએ નૉર્દન લાઇટ ઇન્ફૈંટ્રીના કેપ્ટન કરનાલ શેર ખાન અને અન્ય ત્રણને મારી નાખ્યા હતાં. બાદમાં તે જ શેર ખાનને પાકિસ્તાનનાં સર્વોચ્ચ સમ્માનિત નિશાત-એ-હૈદરથી સમ્માનિત કરવામાં આવ્યાં. મહત્વની વાત તો એ છે કે આ સમ્માન ઉંચી ચોટી પર બહાદુરી દેખાડવા માટે ભારતીય બ્રિગેડ કમાન્ડરની ભલામણ પર આપવામાં આવ્યું છે.
સતપાલ સિંહ 8 શીખ ટીમનાં ભાગીદાર હતાં. જેમાં બે અધિકારી, ચાર જેસીઓ અને 46 ઓઆરએસ શામેલ હતાં. આ ટુકડીને 19 ગ્રેનેડિયર્સને ટાઇગર હિલ પર કબ્જો જમાવવા માટે મદદ માટે કહેવામાં આવ્યું હતું. ટાઇગર હિલ પર થયેલ ભીષણ જંગમાં ત્રણ જેસીઓ સહિત 8 સિપાહી શહીદ થયા હતાં. જેમાંથી તેઓ બચ્યા હતાં તેમાંથી વધારે લોકો ઘાયલ હતાં. જેમાં બે અધિકારી મેજર રવિન્દ્ર પરમાર અને લેફ્ટિનન્ટ આર કે સહરાવત શામેલ હતાં.
હવે 46 વર્ષના થઇ ચૂકેલ સતપાલ સિંહ તે લડાઇને યાદ કરતા કહે છે કે 'અમે 5 જુલાઇ, 1999ની સાંજ સુધી પોઝિશન સંભાળી ચૂક્યા હતાં. ત્યારે ખૂબ જ ઠંડી હતી અને અમારી પાસે માત્ર અમારા કપડાં જ હતાં કે જે અમે પહેરી રાખ્યા હતાં.'
ભારતીય સૈન્ય ટુકડીને પાછળ ધકેલવા માટે પાકિસ્તાન તરફથી 7 જુલાઇનાં રોજ કાઉન્ટર એટેક કરવામાં આવ્યો. એક બાદ એક જડબાતોડ એટેક કરવામાં આવ્યાં. અમે એકને હરાવતા અને પછી અમે બીજા નિશાનને ટાર્ગેટ કરતાં.
સતપાલ જણાવે છે કે અધિકારીઓ અને જેસીઓના ઘાયલ થયા બાદ સુબેદાર નિર્મલ સિંહ કે જે ખુદ પણ ઘાયલ હતાં. તેઓએ કમાન્ડ પોતાના હાથમાં રાખ્યો અને સતત બ્રિગેડિયર એમપીએસ બાજવાથી વાયરલેસનાં સંપર્કમાં હતાં. માથામાં સીધી ગોળી વાગતા પહેલા સુબેદાર સાહેબે અમને અમારો નારો 'જો બોલે સો નિહાલ સત શ્રી આકાલ' જોરથી બોલવાનો કહ્યો અને પછી કૂચ શરૂ કરી. ત્યારે આ લડાઇમાં મેં કોઇ પણ રીતે (શેર ખાન)ને મારી નાખ્યો. જો કે સતપાલ સિંહને એવો ખ્યાલ જ ન હોતો કે તેઓએ જેમને મારી નાખ્યો તે કેપ્ટન કરનાલ શેર ખાન હતા. તેઓ કહે છે કે, 'મેં તેમાંથી ચારને મારી નાખ્યાં.'
સતપાલ સિંહના પૂર્વ બ્રિગેડ કમાન્ડર બ્રિગેડિયર બાજવા કહે છે કે, ટાઇગર હિલ પર સતપાલનાં અદભુત સાહસ અને શૌર્યને જોતા મેં તેમનું નામ વીર ચક્ર માટે પસંદ કર્યુ. તેઓ વીર ચક્રથી સમ્માનિત છે. બાદમાં તેઓની સર્વિસ પૂરી થતા 2009માં તેઓ રિટાયર થયા. પછી પંજાબ પોલીસ જોઇન કરી. કદાચ તે મારા માટે ખોટો નિર્ણય હોઇ શકે. પછી એક્સ સર્વિસમેન કોટા જોઇન કરી અને હવે હું હેડ કોન્સ્ટેબલ છું.' મને જો કે એ વાતનો પછી ખ્યાલ આવ્યો કે મેં જેને માર્યો હતો તે શખ્સને પાકિસ્તાને વિરતા પુરસ્કાર આપ્યો છે.