મઘ્યપ્રદેશથી પતિ પરત આવ્યો ત્યારે પત્નીએ તેને ઘરની બહાર કાઢી મુક્યો
ક્રાઇમબ્રાંચે પત્ની અને અન્ય એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીની કરી ધરપકડ
રૂપિયાની લાલચમાં પત્નીએ જીવીત પતિનું મરણ સર્ટીફીકેટ બનાવીને વીમા પોલીસીના રૂ.8 લાખ મેળવી લીધાની છેતરપીંડીનો પ્રર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચે મહિલા વિરૂધ્ધ ગુનો નોંધીને મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે.
આ કામમાં માત્ર મહિલા નહીં પરંતુ નંદા મરાઠી અને ડૉ.હરીકૃષ્ણ સોની પણ પુરા મળેલા છે. જેમણે એક જીવિત વ્યકિતનું ડેથ સર્ટીફીકેટ બનાવીને પૈસા પડાવ્યા છે. આમ તો રૂપિયા કમાવવા માટે લોકો કોઇપણ હદ સુધી જતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ રૂપિયા કમાવવાની લાલચમાં પત્નીએ પતિને મધ્યપ્રદેશ મોકલી દીધા બાદ તેનું ડેથ-સર્ટીફીકેટ બનાવીને વીમા પોલીસી પાસેથી 8 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ નરોડામાં રહેતી નંદા મરાઠીએ પોતાના પતિ નિમેષભાઈ મરાઠીને મધ્યપ્રદેશ મોકલી દીધા. અને ડૉ. હરિકૃષ્ણ સોનીની મદદથી નિમેષભાઈનું ડેથ સર્ટીફીકેટ બનાવીને વીમા કપંની સાથેથી આઠ લાખ પડાવ્યા. નિમેશભાઈ ઘરે પરત ફર્યા ત્યારે પત્નીએ તેમેને ઘરની બહાર કાઢી દીધા હતા. પતિ બેકાર હોવાથી પૈસાની લાલચમા પત્નીએ આ કૃત્ય કર્યું હતું. જેને લઈને ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધીને બે આરોપીન કરી ધરપકડ.
નિમેષભાઈ મરાઠીએ 15 વર્ષ પહેલા વીમો લીધો હતો. અને તે પ્રિમીયમ ભરતા હતા. તેમની પત્ની નંદાને ખબર હતી કે, પતિના મોત બાદ લાખો રૂપિયાનો વીમો મળશે. જેથી પતિ ત્રણ મહિના માટે મધ્યપ્રદેશ ગયો. ત્યારે નંદાએ તેમનું ડેથ સર્ટીફીકેટ બનાવ્યું હતું અને વીમા કંપનીમાં આ ડોક્યુમેન્ટ આપી વીમો મંજૂર કરાવી 8 લાખ જેટલી રકમ મેળવી લીધી છે. જેની જાણ તેના પતિ નિમેષ ભાઈને થતા તેણે જન્મ-મરણ વિભાગ ખાતે જઇ તપાસ કરતા વર્ષ 2019ના માર્ચ મહિનામાં તેમનું મરણ સર્ટિફિકેટ બની ગયું હતું.
જેથી તેઓને પાક્કી શંકા ગઈ હતી કે, તેમની પત્નીએ મરણ સર્ટીફીકેટ બનાવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાંચમા ફરિયાદ નોંધાવતા આ આ મહિલાનો પ્રર્દાફાશ થયો. મહત્વનુ છે કે પત્ની નંદાનુ કાડ પતિને ખબર થતા તેણે આ બાબતે પત્નીને પુછતા તેણે નિમેષભાઈને ઘરમાંથી કાઢી મુકયો હતો. અને ફુટપાથ પર રેહવાનો વખત આવ્યો હતો. નિમેષભાઈએ જાગૃત નાગરિકની ફરજ બજાવીને પત્નીનો પ્રર્દાફાશ કર્યો. હાલમા ક્રાઈમ બ્રાંચે નંદા મરાઠી અને હરિકૃષ્ણની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.