મહારાષ્ટ્રના પાલઘરમાં એક કેમિકલ ફેકટરીમાં આગ લાગી હતી. બોઈસરમાં થયેલ આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. ત્યારે ઘટનાસ્થળે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવાયો હતો.
મહારાષ્ટ્રઃ કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ, 8ના મોત
ફેક્ટરીમાં વિસ્ફોટનું કારણ હજુ જાણી નથી શકાયું
ફેક્ટરી મુંબઈથી 100 કિમી. દૂર બોઈસરમાં MIDC વિસ્તારમાં આવેલી છે
પાલઘરની આ ફેક્ટરીમાં આગ લાગતા 8 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો હજુ ફંસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. પાલઘરના SPએ 8 લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે.
મળતી માહિતી અનુસાર, મુંબઇથી 100 કિમી દુર બોઈસરમાં MIDC વિસ્તારમાં આ ફેક્ટરી આવેલી છે. વિસ્ફોટ સાંજે અંદાજિત 7.30 વાગ્યે થયો. આ વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે 15 કિમી સુધી આનો અવાજ સંભળાયો હતો. ફેક્ટરીનું નામ હજુ સુધી જાણ નથી શકાયું. જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
આ પહેલા દિલ્હીમાં એક બુટ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગની ઘટનાને લઇને ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આગ મોટા પ્રમાણમાં હોવાથી થોડા સમય બાદ વધુ 10 ફાયર વિભાગની ગાડીઓને મોકલવામાં આવી હતી. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા.
Delhi: Fire breaks out in a shoe manufacturing factory in Mayapuri Phase-2. 20 fire tenders have rushed to the spot. No causality reported till now. pic.twitter.com/tndvznmzjR