ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 62 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે સતત બીજા દિવસે કોઈ વ્યક્તિનું મોત નિપજ્યું નથી, નવા કેસની સામે આજે ગુજરાતમાં 534 દર્દીઓ સાજા થયાં
ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો
રાજ્યમાં આજે 62 કોરોના કેસ નોંધાયા
રાજ્યમાં આજે 534 દર્દીઓ સાજા થયા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 62 નવા કેસ નોંધાયા છે, તો 0 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,072 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 534 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,12,522 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 9 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1497 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
વેક્સિનેશનની કામગીરી બંધ
ગુજરાતમાં તા 8 અને 9 જુલાઈ દરમિયાન વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવી છે. જેની સર્વે પ્રજાજનોએ નોંધ લેવા રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટ્યું
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ વચ્ચે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 15 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 9 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 6 કેસ, જ્યારે ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 6 કેસ અને ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત....