કોરોનાકાળમાં નિષ્ણાંતો ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવા પર ભાર આપી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વાયરસ અંદરથી નબળા એટલેકે જેના શરીરની બિમારી સાથે લડવાની ક્ષમતા ઓછી હોય છે, તેમને જલ્દી પ્રભાવિત કરી શકે છે. આ વાયરસ ફક્ત ફેફસાને પ્રભાવિત કરતો નથી. પરંતુ તેની સાથે શરીરના ઘણા અંગોને ડેમેજ કરે છે.
શું તમે ભૂખ્યા પેટે આ વસ્તુઓનું સેવન કરો છો?
જો કરતા હોય તો ચેતી જજો કરી દેજો બંધ
નહીંતર શરીરમાં બિમારીઓનો વધી જશે ખતરો
નિષ્ણાંતો માને છે કે દિવસની શરૂઆત પૌષ્ટિક નાસ્તાથી થવી જોઈએ. જેનાથી શરીરને કામકાજ માટે ઉર્જા મળે છે. ખાવા-પીવાની કેટલીક વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ જો તેમને ખાલી પેટે ખાવામાં આવે તો તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. અમે તમને જણાવી રહ્યાં છે કે તમારે ખાલી પેટે ભૂલથી કઈ-કઈ વસ્તુઓનું સેવન ના કરવુ જોઈએ અને કેમ.
ટામેટા
ટામેટામાં અલગ-અલગ વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટનો ભંડાર છે, આ વાત સાચી છે. પરંતુ જો તમે ટામેટાને ખાલી પેટે ખાશો તો એસિડિક નેચરના કારણે પેટને નુકસાન થશે. આ પેટ પર જરૂરિયાત કરતા વધુ દબાણ લાવે છે અને તેનાથી પેટમાં દુ:ખાવો થઇ શકે છે.
ખાટ્ટા ફળ
ખાટ્ટા ફળ જેવા કે સંતરા, અંગૂર, લીંબુ જેવા ફળ વિટામિન સી, ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. પરંતુ જો તમે સવારે ખાલી પેટે તેનુ સેવન કરો છો તો તમને પેટની સમસ્યા થઇ શકે છે.
કાર્બોનેટેડ ડ્રિન્ક્સ
કાર્બોનેટેડ ડ્રિન્ક્સ સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે સારા નથી. ઘણાં સંશોધનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે ખાલી પેટે કાર્બોનેટેડ ડ્રિન્ક્સ પીવાથી કેન્સર અને હૃદયસંબંધી બિમારીઓનો ખતરો વધી જાય છે. જો તમે પણ કોલ્ડ ડ્રિન્કના શોખીન છો તો સાવધાન થઇ જજો.
કોફી અથવા ચા
મોટાભાગના લોકો સવારે ઉઠીને પહેલા ચા અથવા કોફી પીવાનું પસંદ કરે છે. નિષ્ણાંતો માને છે કે ખાલી પેટ કોફી પીવાથી હાઈડ્રોક્લોરિક એસિડની માત્રા વધી જાય છે અને તેનાથી કબજીયાત અને ઉલ્ટીની સમસ્યા વધી જાય છે. જેનાથી પાચન ક્રિયા પણ મંદ પડે છે.
લીલી શાકભાજી અને મરચા
લીલી શાકભાજીમાં એમિનો એસિડ હોય છે. જેના કારણે તમને પેટમાં દુ:ખાવો અને પેટમાં સોજો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ રીતે ભૂખ્યા પેટે મરચુ અને કાળુ મરચુ ખાવાથી ગેસની સમસ્યા થઇ શકે છે. મરચુ ડાયજેસ્ટિવ ટ્રેક્ટના મ્યૂકસ મેમ્બ્રેનને બગાડી નાખે છે. જેનાથી હૃદયમાં બળતરા થાય છે.
દૂધ અને કેળા
દૂધમાં સેન્ચ્યુરેટેડ ફેટ અને પ્રોટીન હોય છે. આ પેટના સ્નાયુઓ નબળા પાડે છે. આ સાથે પાચન ક્રિયા પર પણ અસર થાય છે. આ રીતે ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું સ્તર વધી શકે છે.
દહી
દહી પેટ અને પેટના અંગો માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. પરંતુ સવારે ભૂખ્યા પેટે તેને ખાવાથી તમને નુકસાન થઇ શકે છે. જેનાથી પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડ બને છે, જે નુકસાનકર્તા છે.
મિઠાઈ
ભૂખ્યા પેટે મિઠી ચીજ વસ્તુઓ ખાવાથી લીવર અને પાચન ગ્રંથિઓ પર દબાણ વધી જાય છે. જેનાથી તેમની કામ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. લાંબાગાળે જોવામાં આવે તો ભૂખ્યા પેટે મિઠાઈ ખાવાથી બિમારીઓ પણ જન્મ લઇ શકે છે.