મધ્યપ્રદેશના રીવા-સિધી વચ્ચે એક જોરદાર રોડ અકસ્માત થયો. જેમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
મધ્યપ્રદેશના રીવા-સિધી વચ્ચે એક જોરદાર રોડ અકસ્માત
ટ્રકે રોડ કિનારે ઉભેલી બે બસને ટક્કર મારી
અકસ્માતમાં 8 લોકોના મોત થયા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ
મધ્યપ્રદેશના રીવા-સિધી વચ્ચે એક જોરદાર રોડ અકસ્માત થયો. ટ્રકે રોડ કિનારે ઉભેલી બે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. સીએમ શિવરાજ ચૌહાણે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમએ કહ્યું, "હું ભગવાનને તેમના પવિત્ર ચરણોમાં મૃત આત્માઓને સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ ઊંડું દુ:ખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું."
सीधी में बस पलटने से हुई दुर्घटना का अत्यंत दुखद समाचार प्राप्त हुआ।
ईश्वर से दिवंगत आत्माओं को अपने श्री चरणों में स्थान और परिजनों को यह गहन दु:ख सहन करने की शक्ति देने तथा घायलों के शीघ्र पूर्णत: स्वस्थ होने की प्रार्थना करता हूं।
સિધી જીલ્લા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું
“સિધી જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે હાજર છે. રીવા કમિશ્નર અને આઈજી ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. રીવા મેડિકલ કોલેજ અને સિધી જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દુઃખની આ ઘડીમાં હું અને રાજ્યની જનતા શોકગ્રસ્ત પરિવારના સભ્યોની સાથે છીએ.
બસ સતનામાં કોલ જનજાતિ મહાકુંભમાં ગઈ હતી. ત્યારે પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. જેમાં ટ્રક સાથે અથડાયા બાદ બસ પલટી ગઈ હતી.