શ્રીનગરઃ શનિવાર સવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલ એન્કાઉન્ટર બાદ પુલવામામાં તણાવની સ્થિતી છે. સેના અને સ્થાનિક લોકો વચ્ચે થયેલ અથડામણમાં આઠ સ્થાનિક લોકોના મોત થયા છે. જેમાં ઇન્ડિયોનેશિયાથી એમબીએની ડિગ્રી મેળવીને પરત ફરેલ આબિદ પણ સામેલ છે. જો કે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
જણાવી દઇએ કે પુલવામાના ખારપુરામાં સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. બન્ને તરફથી થયેલ ફાયરિંગમાં સેનાએ હિઝબુલ કમાન્ડર જહૂર ઠોકરને તેમના બે મિત્રોની સાથે ઠાર માર્યા હતા. આ દરમિયાન એક જવાન શહિદ થઇ ગયા. આ ઓપરેશન દરમિયાન જ સેના અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષ થયો અને પથ્થરમારો પણ થયો. સેના તરફથી પોતાના બચાવમાં કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન આઠ સ્થાનિક લોકોના મોત થાય છે. ત્યારબાદ સમગ્ર પુલવામા અને આસપાસના ગામોમાં તણાવની સ્થિતિ બનેલી છે.
25 મિનીટમાં પૂર્ણ થયું એન્કાઉન્ટર
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદી ઠોકર અથડામણમાં ફંસાયા હોવાની જાણ થતા લોકો ઘટના સ્થળે પહોંચીને એકજૂટ થયા. ઠોકર આ ગામનો હતો. ત્રણ આતંકવાદીઓના માર્યા જવાન સાથે જ અથડામણ 25 મિનીટમાં પૂર્ણ થઇ ગઇ પરંતુ સેના ત્યારે મુશ્કેલીમાં મુકાઇ ગઇ જ્યારે લોકોએ સેનાના વાહનો પર પણ ચઢવાનું શરૂ કરી દીધું. લોકોને ચેતવણી આપવા માટે હવામાં ગોળીઓ પણ ચલાવી પરંતુ તેનાથી પણ ઉગ્ર થયેલ ટોળું અટક્યું નહીં જેનાથી સેનાએ તેના પર ગોળીઓ ચલાવવી પડી.