આંધ્રપ્રદેશના નેલ્લોરમાં રવિવારે સવારે એક દુ:ખદાયક અકસ્માત થયો હતો, જેમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
નેલ્લોરમાં રવિવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત
8 લોકોએ જીવ ગુમાવ્યો
પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ
બુચિરાદીપેલમ મંડળના દામરમદુગુ ખાતે હાઇવે પર પાછળથી એક હાઇ સ્પીડ ટેમ્પોએ ટ્રકને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. તામિલનાડુના 15 લોકો હતા જે ટેમ્પોમાં શ્રીસૈલામની મુલાકાત દરમિયાન નેલ્લોર જઇ રહ્યા હતા.
7 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત
દામરામાદુગુમાં ટ્રક ચાલકે પોતાનો કાબૂ ગુમાવતા ટેમ્પોને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકનું હોસ્પિટલ લઈ જતાં માર્ગમાં મોત થયું હતું. મૃતકોમાં પાંચ મહિલાઓ અને ત્રણ પુરુષો શામેલ છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ
બુચિરાદીપ્લેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ બનાવ બાદ તેણે કેસ નોંધ્યો છે અને કેસની તપાસ કરી રહ્યા છે.
7 માર્ચે આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ માર્ગ અકસ્માતમાં એક ટ્રેક્ટર ટ્રોલી રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટ્રકમાં ઘુસી ગઈ હતી.