આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં પ્રવાસીઓથી ભરેલી બસ પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે બસ મેરેડુમિલીથી ચિન્ટુર તરફ જઇ રહી હતી. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં પ્રવાસીઓ ભરેલ બસ પલટી
8 લોકોના મોત, અનેક ઘાયલ
બસ મેરેડુમિલીથી ચિન્ટુર તરફ જઇ રહી હતી
પોલીસનું કહેવું છે કે અકસ્માતની ઘટના કયા કારણોસર બની તે હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી. આ અકસ્માત ઓવર સ્પીડ અથવા બ્રેક ફેઇલને કારણે થયો હોય. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 8 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. તે જ સમયે, ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.
સપ્ટેમ્બર માસમાં નાવ પલટવાની બની હતી ઘટના
Andhra Pradesh: Eight dead after a tourist bus overturned in East Godavari district. The accident took place between Maredumilli and Chinturu pic.twitter.com/NErHm0lTzl
આ અગાઉ સપ્ટેમ્બરમાં, આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાની ગોદાવરી નદીમાં 61 પ્રવાસીઓ ભરેલી નાવ પલટી હતી જેમાં આશરે 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મળતી માહિતી મુજબ આ ઘટના કચુલુરુ નજીક બની છે.
સરકાર દ્વારા 10 લાખની સહાય
ઘટના બાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ પૂર્વ ગોદાવરીના ડીએમ અને અન્ય અધિકારીઓને મળીને બોટ પલટી જવાની ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી રેડ્ડીએ ગોદાવરી નદીમાં 63 પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી મારવાની ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોને 10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી.