બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / 8માં પગારપંચની 8 મોટી વાતો, જેને સરકારી નોકરીવાળા ખાસ નોટ કરી લે, ખૂબ કામ લાગશે

તમારા કામનું / 8માં પગારપંચની 8 મોટી વાતો, જેને સરકારી નોકરીવાળા ખાસ નોટ કરી લે, ખૂબ કામ લાગશે

Last Updated: 01:24 PM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેબિનેટે નવા પગાર પંચની રચનાને મંજૂરી આપ્યા બાદ તેમાંથી ઘણી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી

કેબિનેટે નવા પગાર પંચની રચનાને મંજૂરી આપ્યા બાદ તેમાંથી ઘણી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આશ્વાસન આપ્યુ કે 2026 માં 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીમંડળે ગુરુવારે 8મા પગાર પંચને મંજૂરી આપી હતી, જે 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપશે, જેઓ તેમના પગાર અને પેન્શનમાં વ્યાપક સુધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બજેટ 2025 પહેલાની આ મોટી જાહેરાત એ વાતનો સંકેત છે કે આગામી સમયમાં મોદી સરકાર સરકારી કર્મચારીઓ માટે કેટલાક વધુ મોટા પગલાં લઈ શકે છે.

કેબિનેટે નવા પગાર પંચની રચનાને મંજૂરી આપ્યા બાદ તેમાંથી ઘણી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી હતી કે 2026 માં 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે. ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા માટે રાજ્યો અને અન્ય હિસ્સેદારો સાથે એજન્ડાની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત 5 વધુ મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી જેના વિશે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોએ જાણવું જોઈએ.

૮મા પગાર પંચને કેબિનેટની મંજૂરી

સૌપ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળે લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને લગભગ 65 લાખ નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરવા માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી.

money-12_18

પગાર પંચના સભ્યોની પસંદગી

8મા પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે અને તેઓ કેન્દ્ર, રાજ્ય સરકારો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ શરૂ કરશે.

આયોગ સમયસર અમલીકરણ

સરકારને વિશ્વાસ છે કે 2026 માં સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં આઠમા પગાર પંચની ભલામણો પ્રાપ્ત થઈ જશે, ત્યારબાદ તેને લાગુ કરવા માટે પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

પગાર પંચનું ઐતિહાસિક મહત્વ

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી અત્યાર સુધીમાં ૭ પગાર પંચની રચના કરવામાં આવી છે. આ પગાર પંચોએ સમયાંતરે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર માળખું, લાભો અને ભથ્થાં નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

Pensioners_News_2OWRaqT

દર ૧૦ વર્ષે નવું પગારપંચ

સાતમા પગાર પંચની રચના 2014 માં કરવામાં આવી હતી અને તેની ભલામણો જાન્યુઆરી 2016 માં લાગુ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં આઠમું પગાર પંચ પણ 10 વર્ષ પછી 2026 માં લાગુ થઈ શકે છે.

પગાર-પેન્શનમાં કેટલો વધારો થશે?

નિષ્ણાતોનો અંદાજ છે કે ફિટમેન્ટ ફેક્ટર 1.92 અને 2.86 ની વચ્ચે રહેશે, જે પેન્શનને વર્તમાન 9,000 રૂપિયાથી વધારીને 17,280 અને 25,200 રૂપિયાની વચ્ચે કરી શકે છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃપ્રયાગરાજ જવું છે? તો આ રીતે કરાવો ટિકિટ બુક, મળી જશે કન્ફર્મ ટિકિટ, પહોંચી જશો મહાકુંભમાં

પગારમાં ૧૮૬%નો વધારો થશે

જો 2.86 ના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરવામાં આવે તો પેન્શન અને પગારમાં લગભગ 186% નો વધારો થઈ શકે છે. આના કારણે લઘુત્તમ મૂળ પગાર 51000 રૂપિયાથી વધુ વધી શકે છે.

પીએમ મોદીએ શું કહ્યું?

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 8મા પગાર પંચના નિર્ણયની સકારાત્મક અસર પડશે અને તે સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના જીવનધોરણમાં સુધારો કરશે. આ ઉપરાંત, અર્થતંત્રમાં ખપતમાં પણ વધારો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central Govt Govt Job 8th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ