બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:02 PM, 30 April 2025
નિર્ણય / દેશમાં થશે જાતિઆધારિત વસતી ગણતરી, મોદી કેબિનેટે આપી મંજૂરી
ADVERTISEMENT
લાંબા સમયથી ચાલતી જાતિ આધારિત વસ્તી ગણતરી પર મોદી કેબિનેટે મંજૂરીની મહોર મારી છે. આજે યોજાયેલી એક બેઠકમાં મોદી કેબિનેટે જાતિઆધારિત વસતી ગણતરી માટે મંજૂરી આપી દીધી છે. આખો દેશ પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહીની રાહ જોઈ રહ્યો છે, તેની વચ્ચે મોદી સરકારે એક અતિ મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલતી જાતિ આધારિત વસ્તી ગણતરી પર મોદી કેબિનેટે મંજૂરીની મહોર મારી છે. આજે યોજાયેલી એક બેઠકમાં મોદી કેબિનેટે જાતિઆધારિત વસ્તી ગણતરી માટે મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં, રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ એટલે કે CCPA ને 'સુપર કેબિનેટ' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં કેન્દ્રીય કેબિનેટના ટોચના મંત્રીઓનો સમાવેશ થાય છે. CCPA ના વર્તમાન સભ્યોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે, જે તેના અધ્યક્ષ છે. આ સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલનો પણ તેમાં સમાવેશ થાય છે.
On caste census included with national census, Union Minister Ashiwini Vaishnaw says, "Congress govts have always opposed the caste census. In 2010, the late Dr Manmohan Singh said that the matter of caste census should be considered in the Cabinet. A group of ministers was… pic.twitter.com/xTzQeVYNYV
— ANI (@ANI) April 30, 2025
ADVERTISEMENT
PM મોદીનો રશિયા પ્રવાસ રદ, વિક્ટરી ડેની ઉજવણીમાં નહીં થાય સામેલ, જાણો કારણ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો રશિયા પ્રવાસ રદ કરી દીધો છે. હવે તેઓ 9 મેના રોજ મોસ્કો શહેરમાં યોજાનારી વિજય દિન પરેડમાં ભાગ લેશે નહીં. જાણો કારણ. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલની તણાવપૂર્ણ સ્થિતિને કારણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો રશિયા પ્રવાસ રદ કરી દીધો છે. તેઓ હવે 9 મે, 2025ના રોજ રશિયાની રાજધાની મોસ્કોમાં યોજાનારી "વિજય દિન" (Victory Day) પરેડમાં ભાગ લેશે નહીં. રશિયામાં આ દિવસને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝી જર્મની સામે મળેલી વિજયના સ્મારક રૂપે ખૂબ જ માન આપવામાં આવે છે. આ વર્ષે વિજય દિન પરેડ વિશેષ છે કારણ કે રશિયા બીજા વિશ્વ યુદ્ધની વિજયની 80મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. રશિયાએ ઘણા દેશોના નેતાઓને આમંત્રિત કર્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પરેડ માટે ખાસ આમંત્રણ મળ્યું હતું.
સુનાવણી / 'દિવ્યાંગજનો માટે e KYC પ્રોસેસ...', કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્દેશ
ઈ-કેવાયસીની સુવિધા દિવ્યાંગ વ્યક્તિઓ માટે દરેક હાલતમાં સુલભ હોવી જોઈએ', સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્દેશ. જાણો શું કહ્યું સુપ્રીમ કોર્ટે? સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ જાહેર હિતની અરજી (PIL) પર ચુકાદો આપતાં કહ્યું છે કે ''દિવ્યાંગ લોકો, ખાસ કરીને એસિડ એટેક પીડિતાઓ અને દૃષ્ટિહિન/અવલોકનક્ષમ વ્યક્તિઓ માટે ઈ-કેવાયસી (Electronic Know Your Customer) જેવી ડિજિટલ સેવા પૂરી પાડતી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે સુલભ હોવી આવશ્યક છે.'' ન્યાયમૂર્તિ જે.બી. પારદિવાલા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે જણાવ્યું હતું કે અનેક દિવ્યાંગ લોકોને હાલની ઇ-કેવાયસી પદ્ધતિમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે – જેમ કે બાયોમેટ્રિક સ્કેનિંગ, ઓટીપી વેરિફિકેશન, કેમેરા ફેસ રેકગ્નિશન જેવી ટેક્નોલોજી, જે દૃષ્ટિઅવલોકન ક્ષમતા વિહોણા લોકો માટે સરળ નથી.
આગાહી / આ વર્ષે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? અખાત્રીજના પવન વચ્ચે અંબાલાલની ખેડૂતો માટે આગાહી
Ambalal Patel Forecast : આજે અખાત્રીજના દિવસે પરોઢિયાનો પવન જોવામાં આવ્યો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે સવારના પવન પરથી આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેનો વર્તારો આપ્યો. હાલ રાજ્યભરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. આ દરમિયાન હવે ચોમાસાને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. વાસ્તવમાં આપણે ત્યાં ચોમાસું કેવું રહેશે તે માટે હોળીની સાથે અખાત્રીજનો પવન પણ જોવામાં આવે છે. આજે અખાત્રીજ છે અને અખાત્રીજના પવનથી ગરમી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. આપણે ત્યાં હવામાન નિષ્ણાતો અખાત્રીજનો પવન જોઈને ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન લગાવતા હોય છે. આ દરમિયાન આજે અખાત્રીજના દિવસે પરોઢિયાનો પવન જોવામાં આવ્યો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે સવારના પવન પરથી આગામી ચોમાસું કેવું રહેશે તે અંગેનો વર્તારો આપ્યો છે.
જલસો / ગુજરાતના પેન્શનરો ખાસ વાંચે, હવે બેંક કે કચેરીના ધક્કા નહીં ખાવા પડે, જાણો ડિટેઈલ
પેન્શનર્સની હયાતીની ખરાઇ માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ કરી છે. પહેલા પોતાની હયાતીની ખરાઇ કરવા માટે પેન્શનર્સે પોતે બેંક સુધી જવું પડતું હતું. ત્યાં કલાકો સુધી લાઇનમા ઉભા રહીને પોતે હયાત છે તે માટેનું ફોર્મ ભરવા સહિતની સરકારી ભાજંગડમાં પડવું પડતું હતું. ગાંધીનગર : ગુજરાતના પેન્શનર્સ લઈને નાણામંત્રી કનુ દેસાઈની મહત્વપૂર્ણ પહેલ કરી છે. પેન્શનરોને હયાતીની ખરાઈ માટે કોઇ પણ સરકારી કચેરી કે બેંકના ધક્કા નહી ખાવા પડે. ઘરે બેઠા જ પેન્શનરો પોતાની હયાતીની ખરાઇ કરાવી શકશે. નાણામંત્રીની અધ્યક્ષતામાં નાણા વિભાગ, ઇન્ડિયા પોસ્ટ બેંક વચ્ચે MOU થયા છે. રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને હવે આ યોજનાનો લાભ મળશે.
રેડઝોન / Stock Market Highlight: નિફ્ટી વીકલી એક્સપાયરીના કારણે બજારમાં દબાવ
નિફ્ટી વીકલી એક્સપાયરી પર બજારોમાં દબાણ જોવા મળ્યું. સેંસેક્સ, નિફ્ટી ઉપરી સ્તરથી લપસીને બંધ થયા. મિડકેપ-સ્મોલકેપ શેરમાં વેચવાલી જોવા મળી. વ્યાપારના અંતમાં સેંસેક્સ 46.16 પોઇન્ટ એટલે કે 0.06 ટકાના ઘટાડા સાથે 80,242.24 ના સ્તર પર બંધ થયું. મુંબઇ : નિફ્ટી વીકલી એક્સપાયરી પર બજારોમાં દબાણ જોવા મળ્યું. સેંસેક્સ, નિફ્ટી ઉપરી સ્તરથી લપસીને બંધ થયા. મિડકેપ-સ્મોલકેપ શેરમાં વેચવાલી જોવા મળી. વ્યાપારના અંતમાં સેંસેક્સ 46.16 પોઇન્ટ એટલે કે 0.06 ટકાના ઘટાડા સાથે 80,242.24 ના સ્તર પર બંધ થયું. બીજી તરફ નિફ્ટી 1.75 પોઇન્ટ એટલે કે 0.01 ટકાના ઘટાડા સાથે 24,334.20 ના સ્તર પર બંધ થયું. મારુતી સુઝુકી, એચડીએફસી લાઇટ, સહિતના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ક્રિકેટ / અશ્વિને ઓસ્ટ્રેલિયામાં અચાનક કેમ લઈ લીધી નિવૃત્તિ? દિગ્ગજ બોલરે ખોલી નાખ્યું રહસ્ય
પોડકાસ્ટમાં, અશ્વિને ચેન્નાઈના સાથી ખેલાડી માઈક હસીને કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ માટે ટીમમાં સામેલ ન થયા બાદ તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તે મેચમાં, અશ્વિનની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને રમવાની તક મળી. ભારતીય ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ બોલર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિના નિર્ણય અંગે મોટો ખુલાસો કર્યો છે. અશ્વિને તાજેતરમાં પોતાની IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેણે પહેલા પોતાની 100મી ટેસ્ટ બાદ નિવૃત્તિ લેવાનું વિચાર્યું હતું પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે જ તેણે આ નિર્ણય લીધો હતો જેથી પ્લેઈંગ 11માં તેના સ્થાન અંગેનો 'પૂર્ણ વર્તુળ' ફરી ન થાય.
મનોરંજન / આ અભિનેત્રીએ માત્ર 19 વર્ષની ઉંમરે આપ્યો હતો ન્યૂડ સીન, હવે વ્યક્ત કર્યો અફસોસ
Amanda Seyfried : હોલીવુડ અભિનેત્રી અમાન્ડા સેફ્રીડે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં માત્ર 19 વર્ષની ઉંમરે તેણે ફિલ્મમાં વગર કપડાએ સીન આપ્યો હતો. તેને લઇને અફસોસ વ્યક્ત કર્યો છે. હોલીવુડ કલાકારો ઘણીવાર ખૂબ જ સનસનાટીભર્યા ખુલાસા કરે છે. હવે અભિનેત્રી અમાન્ડા સેફ્રીડે તેની કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે વાત કરી છે. અમાન્ડાએ એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેને અફસોસ છે કે તેણે 19 વર્ષની ઉંમરે આવા આવા ન્યૂડ સીન આપ્યા હતા જેમાં તેના શરીર પર અન્ડરવેર પણ નહોતા. અમાન્ડાએ તેના આ કામ પર પણ પસ્તાવો વ્યક્ત કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.