બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / VIDEO: અમદાવાદના ચંડોળામાં મેગા ડિમોલિશન, જયસુખ પટેલની ડિસ્ચાર્જ અરજી રદ, જુઓ આજના મોટા સમાચાર
Last Updated: 11:41 PM, 29 April 2025
ADVERTISEMENT
ગુજરાતમાં જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ
હાલ અત્યારે ગરમી ત્રાહિમામ પોકારી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનો પારો વધી શકે છે. રાજ્યમાં આ સમયે તાપમાનની તીવ્રતા ખૂબ ઝડપથી વધી રહી છે. હાલમાં, રાજ્યમાં 133 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, અને તે પ્રમાણમાં તાપમાન ખૂબ ઊંચું ગયું છે. રાજકોટમાં સૌથી વધુ 46.2°C તાપમાન નોંધાયું, ગરમીનો પારો આશંક રીતે વધી રહ્યો છે તેનો સંકેત કરે છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો 44°C તાપમાન નોંધાય શકે છે. સુરેન્દ્રનગરમાં 44.8°C અને અમરેલીમાં 44.1°C તાપમાન નોંધાયું. આ સાથે, ગાંધીનગરમાં 43.2°C , ભુજમાં 42.2°C અને ભાવનગરમાં પણ 42.2°C તાપમાન નોંધાયું. નિષ્ણાતના મતે સલાહ પણ આપવામાં આવી છે કે, આ પ્રકારની ગરમી અને હીટવેવના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. જેથી, લોકોને હાઇડ્રેટેડ રહેવું, બારાબાર આરામ કરવો અને બને ત્યાં સુધી બપોરના સમયે ઘરની બહાર ન નકળવું જોઇએ.
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલે ચંડોળા ડિમોલિશનને લઈ કરી બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મંગળવાર તા. 29ના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી હતી, અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા અમદાવાદ કલેક્ટર સુજિત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ચંડોળા વિસ્તારના દબાણો પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી તેમજ દબાણો દૂર કર્યા બાદ ફરીથી દબાણ ન થાય તે માટે સુચના આપવામાં આવી છે. બેઠક બાદ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ડિમોલિશન કામગીરીની સમીક્ષા કરી હતી
કચ્છની 21 જગ્યાઓ પર લોકો ફરવા નહીં જઈ શકે
કચ્છના માનવ વસાહત રહિત 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધને લઈ કચ્છ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ કચ્છના 21 ટાપુઓ પર 26 જુલાઈ 2025 સુધી પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આ 21 માનવ વસાહત રહિત ટાપુઓ પર આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવાને લઈ પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે જાહેરનામું 26 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે. જેમાં નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે, જેના પગલે ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસોની અવર-જવર રહે છે. શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ પર પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપીઓની મુશ્કેલી વધી છે. જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની અરજી રદ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટે આરોપીઓએ કરેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી છે. અત્રે જણાવીએ કે, સેશન્સ કોર્ટમાં બે મહિના પહેલા આરોપીઓએ અરજી કરી હતી. જયસુખ પટેલ સહિત 10 આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં 25થી વધુ બાળકો સહિત 150થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું હતુ. પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહોને તેમના પરિવારજનો અને સ્નેહીજનોને સોંપવામાં આવ્યા હતા.
રક્ષામંત્રી સહિત પાકિસ્તાની પત્રકારો વિરૂદ્ધ ભારતની મોટી કાર્યવાહી
Pahalgam: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક નિર્ણય લીધો છે. પહેલગામ હુમલા પછી, પાકિસ્તાનના લોકો દ્વારા ભ્રામક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા. એટલા માટે ભારતે સોશિયલ મીડિયા X પર મોટી કાર્યવાહી કરી છે. ભારતે ખોટા સમાચાર અને ખોટી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાન ISPR અને ISI સાથે સંકળાયેલા ઘણા પાકિસ્તાની પત્રકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર બૅન લગાવી દીધો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અગાઉ, ભારતે પાકિસ્તાની સમાચાર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની યુટ્યુબ ચેનલો પર બૅન લગાવ્યો હતો. ભારતે GNN, Geo News, Dwan News, SAMAA TV જેવી ઘણી YouTube ચેનલો બંધ કરી દીધી હતી. જણાવી દઈએ કે ગઈકાલે ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો બૅન કરી દીધી હતી. પ્રતિબંધની ભલામણ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી, કારણ કે આ ચેનલો પર ભારત વિરુદ્ધ ભડકાઉ માહિતી ફેલાવવાનો આરોપ હતો.
પહેલગામ હુમલાને લઇ ઈઝરાયલનું મોટું એલાન
પહેલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ સતત ભારત સાથે સંપર્કમાં છે. ઇઝરાયલે ખુલ્લેઆમ કહ્યું છે કે તે આતંકવાદીઓ સામે ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તુલના 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર થયેલા હમાસના હુમલા સાથે કરી. તેમણે કહ્યું કે તેઓ ભારતના સ્વરક્ષણના અધિકારને મજબૂત સમર્થન આપે છે. પહેલગામ હુમલો છેલ્લા બે દાયકામાં નાગરિકો પર થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંનો એક માનવામાં આવે છે. અઝારે કહ્યું કે ઇઝરાયલ ભારત સાથે ખભેથી ખભા મિલાવીને ઉભું છે અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.
VTVના Exclusive વીડિયો બાદ ઝિપલાઈન ઓપરેટરને NIAનું તેડું
અત્યારે દેશભરમાં ચર્ચામાં રહેલો પહેલગામ આતંકી હુમલો ખૂબ જ ગંભીર બનાવ બન્યો છે. આ ઘટનાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ઝડપથી ચાલી રહી છે. પહેલગામમાં પર્યટકો માટે બનાવેલી ઝિપલાઇન પર કાર્યરત એક ઓપરેટર વિવાદાસ્પદ નિવેદનોની અસર હેઠળ હવે તપાસના ઘેરામાં આવ્યો છે. vtv ડિજિટલ દ્વારા Exclusive વીડિયો સૌ પ્રથમ બહાર લાવવામાં આવ્યો હતો. વાતચીત કરતા ઋષિ ભટ્ટે જણાવ્યું હતું કે હુમલાની ઘટનાના સમયે તેમણે પોતે આ ઓપરેટરને "અલ્લાહ હુ અકબર" નારા લગાવતા સાંભળ્યા હતા. ઋષિ ભટ્ટે દાવો કર્યો હતો કે જ્યારે તે ઝિપલાઇન પર હતો ત્યારે નીચે ગોળીબાર શરૂ થયો અને એ અવાજો સાથે ઓપરેટર ઈસ્લામિક નારા લગાવતો જોવા મળ્યો. ત્યારબાદ તેને ત્યાંથી આગળ ધપાવી દેવામાં આવ્યો.
શેરબજાર ફ્લેટ બંધ
Stock Market : એશિયન બજારોમાં તેજી વચ્ચે સ્થાનિક શેરબજારે મંગળવારે સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં વધારો નોંધાવ્યો. સતત બીજા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોએ સેન્સેક્સને લીલા રંગમાં રાખ્યો. આ ઉપરાંત આઇટી શેરોમાં તેજીથી પણ બજારને ટેકો મળ્યો. 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ વધીને 80,396.92 પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન તે 80,661.31 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. બપોરે 2 વાગ્યે તે 163.57 પોઈન્ટ અથવા 0.20% વધીને 80,381.94 પર બંધ થયો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી-50 પણ 24,370.70 પોઈન્ટના હકારાત્મક વલણ સાથે ખુલ્યો હતો. બપોરે 2 વાગ્યે તે 27 પોઈન્ટ અથવા 0.11% ના નજીવા વધારા સાથે 24,355.50 પર હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.