બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / ગુજરાતીઓને ગરમીથી રાહત! ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ટેક્સમાં ઘટાડો, જુઓ આજના મોટા સમાચાર
Last Updated: 08:07 PM, 18 April 2025
ADVERTISEMENT
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતનું વાતાવરણ પલટાશે
ગુજરાતમાં ગરમીનો પારો ફરી એકવાર ઉચકાયો છે, ત્યારે લોકો ગરમીમાં જ્યુસ, ઠંડા પીણા આરોગીને ધખધખતા તાપ સામે રક્ષણ મેળવી રહ્યાં છે. લોકો ભર બપોરે બહાપ નીકળવાનો પણ ડાળી રહ્યાં છે જેના પગલે કેટલાક રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. જો કે, આ બધાની વચ્ચે ગરમીને લઈ હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી ગઈ છે. હવામાન વિભાગે કચ્છ અને રાજકોટમાં યેલો અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 2 દિવસ પછી તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે અને ત્યાર પછી ફરી તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી 2 દિવસ સુધી જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડશે, ત્યારે પવનની ગતિ વધુ હોવાના કારણે 19 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે તેવી આગાહી પણ કરવામાં આવી છે
ADVERTISEMENT
ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 5 ટકાની ટેક્સ છૂટ
રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે EV વાહનો પર 5 ટકા ટેક્સ છૂટ આપી છે. અત્રે જણાવીએ કે, ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાને લઈ 31 માર્ચ 2026 સુધી EV પર 5 ટકા ટેક્સ છૂટ અપવામાં આવી છે. વાહનના પ્રકાર પ્રમાણ ફક્ત 1 ટકા લેખે જ ટેક્સ વસૂલવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે ઈલેક્ટ્રિક વ્હીકલ પર 1 ટકા લેખે જ આરટીઓનો વ્હીકલ ટેક્સ વસૂલવામાં આવશે. ટેક્સમાં 5 ટકા છૂટ આપવાથી ઈલેક્ટ્રિક વાહન માલિકોને ફાયદો થશે. નવી જાહેરાતથી ટેક્સ દર ઘટીને માત્ર 1 ટકા થયો છે ત્યારે આ મામમલે વાહન 4.0 પોર્ટલ પર નોંધણી કરાવી શકાશે. ટકાઉ પરિવહનને રાજ્ય સરકારનું પ્રોત્સાહન માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરવામાં આવી છે.
ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, 4ના મોત
Road Accident : ગુજરાતના પંચમહાલમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હાઈવે પર ભીષણ અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં 4 લોકોના મોતની માહિતી મળી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.ગુજરાતના પંચમહાલના ગોધરામાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. જેમાં 3 બાળકો અને 1 વ્યક્તિનું મોત થયું છે. વડોદરા હાઈવે પર તૃપ્તિ હોટલ નજીક અકસ્માત સર્જાયો છે. હાલ મૃતકોની ઓળખ થઈ નથી. મળતી માહિતી મુજબ ઘોઘંબા તાલુકાના બોર ગામના પરિવારને અકસ્માત નડ્યો હતો.
જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત
રાજ્યમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટનાથી મોત થયાની વિગતો સામે આવી છે. જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે, સેફ્ટી ટેંક સાફ કરતા સમયે આ ઘટના બની હતી. જે દરિયમાન મકાન માલિકને પણ ઝેરી ગેસની અસર થઈ હતી. ભેંસાણના રામપુર ગામમાં ગેસ ગળતરની ઘટનામાં સાળા-બનેવીનું મોત થયું છે. ધર્મેન્દ્ર કુબાવતના ઘરે 2 મજૂરો સેફટી ટેંક સાફ કરવા આવ્યા હતા તે દરમયાન ગેસ ગળતરથી મોત થયા હતા જેમાં મકાન માલિકને પણ ઝેરી ગેસની અસર થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
PM મોદીએ એલોન મસ્કને ઘૂમાવ્યો ફોન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે મહત્વપૂર્ણ ફોન પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન એવિએશન, ઈલેક્ટ્રિક વાહનો, નવીન ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રે સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. PM મોદીએ કહ્યું કે વાતચીત મુખ્યત્વે આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં થયેલી મુલાકાત દરમિયાન ચર્ચાયેલી બાબતો પર આધારિત રહી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું કે ભારત ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં અમેરિકા સાથે ભાગીદારી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે એલન મસ્કની કંપનીઓ ટેસ્લા અને સ્ટારલિંક ભારતમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવા માટે સરકાર સાથે વાર્તાલાપ કરી રહી છે. બીજી બાજુ, સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે Airtel અને Jio જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરવા માંગે છે.
અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાએ સંભવ જૈન સાથે કર્યા લગ્ન
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલ આજે લગ્નગ્રંથિથી બંધાઇ ગઇ છે. તેણે દિલ્હીના કપૂરથલા હાઉસમાં સંભવ જૈન સાથે 7 ફેરા લીધા હતા. હવે હર્ષિતા અને સંભવ જૈનનું રિસેપ્શન 20 એપ્રિલે યોજાશે. બંનેએ IIT માં સાથે અભ્યાસ કર્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલ શુક્રવારે લગ્નગ્રંથિથી બંધાઇ ગઇ હતી. હર્ષિતાએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં સંભવ જૈન સાથે સાત ફેરા ફર્યા હતા. આ અગાઉ 17 એપ્રિલે દિલ્હીની શાંગરી-લા હોટેલમાં મહેંદી અને અન્ય ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. તેમાં ફક્ત મર્યાદિત લોકોને જ આમંત્રીત કરવામાં આવ્યા હતા. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાજર રહ્યા હતા.
ભાજપના નેતા 60 વર્ષની ઉંમરે ઘોડે ચડશે
પશ્ચિમ બંગાળ ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષ શુક્રવારે સાંજે લગ્નગ્રંથિથી જોડાશે. 60 વર્ષીય ઘોષ પાર્ટીના સહયોગી રિંકુ મજુમદાર સાથે લગ્ન કરશે. બંને 2021 થી એકબીજાને ઓળખે છે. આ સમાચાર તેમના નજીકના લોકો તરફથી આવ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષ 60 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓ તેમના ભાજપા સાથી રિંકુ મજુમદાર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન આજે એટલે કે 18 એપ્રિલના કોલકાતા સ્થિત તેમના નિવાસસ્થાને થવાના અહેવાલ છે. 60 વર્ષીય ભાજપ નેતા હજુ પણ અપરિણીત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કુણાલ ઘોષ અને દેવાંશુ ભટ્ટાચાર્ય સહિત અનેક તૃણમૂલ નેતાઓએ આ પ્રસંગે ભાજપના નેતાને અભિનંદન પાઠવ્યા હતા.
શેરબજાર માટે ભંયકર આગાહી
છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 4,706 પોઈન્ટ વધ્યો છે. 9 એપ્રિલથી નિફ્ટીમાં પણ 1,452 પોઈન્ટનો વધારો થયો છે. ટ્રમ્પ દ્વારા ચીન સિવાયના તમામ ટ્રેડિંગ પાર્ટનર્સ પર ટેરિફ પર 90 દિવસ માટે રોક લગાવવાની જાહેરાત કર્યા પછી આ ઉછાળો આવ્યો છે. ટેરિફને થોડા સમય માટે અટકાવવાના નિર્ણય પછી, બંને સૂચકાંકોમાં 4.5% નો વધારો થયો. જે ફેબ્રુઆરી 2021 પછીનો શ્રેષ્ઠ સપ્તાહ ગણી શકાય. અમેરિકી રાષ્ટ્રપતિના નિર્ણય બાદ, વિશ્વભરના શેરબજારોમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ખાસ કરીને ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ થયેલું નુકસાન માત્ર ચાર જ દિવસમાં જ ભરપાઇ થઇ ચુક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.