બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ, IPL 2025 પર મોટું અપડેટ, જુઓ આજના મોટા સમાચાર
Last Updated: 08:06 PM, 10 May 2025
'ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત...'
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ટ્વીટ કરી મહત્વની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે, 'યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યસ્થી હેઠળ રાતભર ચાલેલી લાંબી વાતચીત પછી, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. કોમન સેન્સ અને ગ્રેટ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર'. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈ અમેરિકાની મધ્યસ્થી મામલે લાંબા વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચાલી રહી હતી, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ હતી ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે
ADVERTISEMENT
આ તારીખ સુધીમાં વરસાદ કેરળ પહોંચી જશે
Weather Update : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે હવે હવામાનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે પરંતુ આ વખતે તે કેરળ વહેલું પહોંચવાની ધારણા છે. જો 27 મે સુધીમાં ચોમાસુ કેરળમાં આવી જશે તો તે 2009 પછીનું સૌથી પહેલું ચોમાસુ હશે. 2009માં ચોમાસુ 23 મે ના રોજ કેરળમાં પહોંચ્યું હતું. ગયા વર્ષે ચોમાસું 30 મેના રોજ કેરળમાં પ્રવેશ્યું હતું, જેમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા હતી. જ્યારે ચોમાસું કેરળમાં 2023માં 8 જૂન, 2022માં 29 મે, 2021માં 3 જૂન અને 2020માં 1 જૂને પહોંચ્યું હતું. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂને કેરળ પહોંચે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર ભારતને આવરી લે છે. 17 સપ્ટેમ્બરથી ચોમાસું ભારતના ઉત્તરપશ્ચિમ ભાગોમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે વિદાય લે છે.
પાકિસ્તાને ફોન કરીને યુદ્ધ અટકાવવા કરી અપીલ
India Pakistan ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદુર બાદ સ્થિતિ વણસી ગઇ હતી. જો કે ચાર દિવસ સુધી ચાલેલા બંન્ને વચ્ચેના ટેંન્શનનો અંત આવ્યો છે. અમેરિકાની મધ્યસ્થી બાદ બંન્ને દેશો હવે યુદ્ધ વિરામની સ્થિતિ માટે તૈયાર થયા છે. આ અંગે પાકિસ્તાનનાં DGMO દ્વારા ભારતનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં યુદ્ધનો અંત લાવવા માટે અપીલ કરવામાં આવી હતી. જેના જવાબમાં ભારતે જણાવ્યું કે, અમે તો પહેલાથી જ શાંતિના પક્ષધર રહ્યા છીએ. પરંતુ પાકિસ્તાન દ્વારા વારંવાર ઉશ્કેરણી કરવામાં આવી હતી. જેથી અમે માત્ર જવાબી હુમલો કર્યો હતો અને તે પણ પાકિસ્તાન કે પાકિસ્તાની નાગરિક કે પાકિસ્તાની સેના પર નહી પરંતુ આતંકવાદીઓના લોંચ પેડ પર આ કાર્યવાહી કરી હતી. જો કે પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરાત ભારતે જવાબી કાર્યવાહી કરવાની જરૂર પડી હતી.
GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન હસમુખ પટેલે આવતીકાલ એટલે કે 11 મે રવિવારના રોજ યોજનારી GPSCની પરીક્ષાને લઈને એક પોસ્ટ કરી છે. તેમણે સોશિયલ મીડીયા એકઉન્ટ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે આવતીકાલે GPCB વર્ગ 2ની પરીક્ષા જે યોજવાની છે તે યથાવત છે. "ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર આવતી કાલની પરીક્ષા યથાવત છે." GPSCની ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, 'રાજ્યના 405 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેકિંગ કર્યા બાદ તેમાં સહી લેવામાં આવશે અને પછી પેકિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને બહાર જવા દેવામાં આવશે. આ અંગે આયોગની સત્તાવાર વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ -2 ની આવતીકાલે 11 મે 2025 ના રોજ સવારે 11 વાગે યોજાનાર પેપર 1 ની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે.
1 શેર પર મળશે 229 રૂપિયાનું ડિવિડન્ડ
ભારતીય શેરબજારમાં લિસ્ટેડ બધી કંપનીઓ એક પછી એક તેમના નાણાકીય પરિણામો જાહેર કરી રહી છે અને શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત કરી રહી છે. આ જ ક્રમમાં, અગ્રણી કાર ટાયર ઉત્પાદક કંપની MRF એ પણ તેના શેરધારકો માટે મોટા ડિવિડન્ડની જાહેરાત કરી છે. MRF એ 7 મેના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2024-25 માટે 10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા શેર દીઠ 229 રૂપિયા (2290 ટકા) ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. MRF એ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીએ અગાઉ તેના શેરધારકોને બે વાર રૂ. ૩-૩નું વચગાળાનું ડિવિડન્ડ આપ્યું હતું. આ સહિત, નાણાકીય વર્ષ 2024-25માં શેરધારકોને કુલ રૂ. 235 પ્રતિ શેર ડિવિડન્ડ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારતીય શેરબજારમાં લિસ્ટેડ બધી કંપનીઓમાં, MRF ના શેર સૌથી મોંઘા શેરોમાંના એક છે. શુક્રવારે, BSE પર MRF ના શેર રૂ. 1,37,736.65 પર બંધ થયા. 7 મેના રોજ, કંપનીના શેર સારા વધારા સાથે રૂ. 1,40,420 પર બંધ થયા. જોકે, 8 મે અને 9 મેના રોજ કંપનીના શેરમાં ઘટાડો થયો હતો.
ડ્રોન એટેકનો વીડિયો પોસ્ટ કરશો તો ખાવી પડશે જેલની હવા!
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, 7 મેના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સશસ્ત્ર દળો દ્વારા મિસાઇલ હુમલા દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં કુલ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ પછી, પાકિસ્તાન દ્વારા ભારત પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા. જેને ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 દ્વારા અટકાવવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. પહેલગામ હુમલા પછી, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવી રહ્યું છે . જેમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. હવે ભારત પાકિસ્તાની સૈન્ય સામે બદલો લેવાની કાર્યવાહી કરી રહ્યું છે. પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઈલ હુમલા પણ થઈ રહ્યા છે. આ સમય દરમિયાન, જો તમે મિસાઇલ હુમલાનો કોઈ વીડિયો અથવા મિસાઇલ પડતાનો કોઈ વીડિયો શેર કરો છો.
IPL 2025 પર મોટું અપડેટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક મોટો નિર્ણય લેવાયો છે. બંને દેશો વચ્ચે સરહદી વિસ્તારોમાં યુદ્ધવિરામ છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ પછી આ વાતની પુષ્ટિ થઈ. આવી સ્થિતિમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ફરી શરૂ કરવા અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. ધ્યાનમાં રાખો કે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, શુક્રવારે IPL એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવ્યું હતું. જોકે, આ ટુર્નામેન્ટ ફરી ક્યારે શરૂ થશે તે અંગે નિર્ણય લઈ શકાયો નથી. પરંતુ હવે તાજેતરની પરિસ્થિતિ પછી, એવું માનવામાં આવે છે કે BCCI ટૂંક સમયમાં આ અંગે કેટલીક માર્ગદર્શિકા જારી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.