બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / ગુજરાના સરકારી કર્મચારીઓની રજા રદ, ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ, વાંચો આજના મોટા સમાચાર
Last Updated: 08:08 PM, 9 May 2025
ADVERTISEMENT
પેસેન્જર પ્લેનની આડમાં ડ્રોન હુમલો
India Pakistan Tension LIVE Updates : ભારતના 'Operation Sindoor'થી હતાશ થઈને, પાકિસ્તાનની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ પ્રદેશોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાન દ્વારા આ હુમલા ત્યારે કરવામાં આવ્યા જ્યારે ભારતે પાકિસ્તાન અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ છોડી અને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. દરમિયાન, આ સમગ્ર ઘટના પર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે સાઉથ બ્લોકમાં સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી. પાકિસ્તાન દ્વારા પશ્ચિમી સીમા પર અનેક વખત આંતરરાષ્ટ્રીય અને એલઓસી પર નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. લેહથી સીરક્રિક સુધી 36 લોકેશન પર 300-400 ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.અગાઉ પોલીસ,મહેસુલ વિભાગના કર્મચારીઓ અને હવે રાજ્યના શિક્ષકોની રજા રદ કરી દેવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે.
ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખી, ગુજરાત સરકારે રાજ્યમાં સાવચેતીના પગલાં સ્વરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ આ નિર્ણય મુજબ, આવતી 15 તારીખ સુધી રાજ્યમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી ગ્રાહ્યમંત્રીએ હર્ષ સંઘવીએ જાહેરમાં અપીલ કરી છે કે તમામ નાગરિકોએ સરકારની જાહેર કરેલી માર્ગદર્શિકા અને આદેશોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. તેઓએ કહ્યું કે આ પગલાં તમારી અને તમારા પરિવારની સલામતી માટે છે અને રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે સહયોગ આપવો જરૂરી છે. સરકારના આદેશ મુજબ, કોઈપણ પ્રકારના સામૂહિક કાર્યક્રમો, ઉજવણીઓ કે સમારંભોમાં પણ ફટાકડા ફોડવાની મનાઈ રહેશે. માત્ર ફટાકડા નહીં, પણ ડ્રોન ઉડાડવાની પણ મંજૂરી આપવામાં નહીં આવે. આ નિર્ણય રાજ્યની આંતરિક સલામતી અને શાંતિ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે. તણાવની સ્થિતિના કારણે અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓથી બચવા માટે આ પગલાં જરૂરી ગણવામાં આવ્યા છે.
પોલીસની સોશ્યલ મીડિયા પર ચાંપતી નજર
અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ગુજરાત રાજ્યમાં હવે પોલીસ વિભાગ સોશિયલ મીડિયા પર વધુ સક્રિય અને ચાંપતી નજર રાખી રહી છે. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં સમગ્ર રાજ્યના તમામ SP અને CP વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. આ બેઠક દરમિયાન સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે સોશ્યલ મીડિયા પર કોઈ પણ ખોટી, ભરમાવનારી કે દેશવિરોધી માહિતી પોસ્ટ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. વધુમાં, કોઇપણ પ્રકારની આર્મી મુવમેન્ટની કોઈપણ પ્રકારની પોસ્ટ કરનારા સામે પણ લેવામાં આવશે. આવા કિસ્સાઓમાં પણ સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સમગ્ર ભારતમાં હવામાન સતત બદલાઇ રહ્યું છે. દેશમાં ક્યાંક હીટવેવ જેવી પરિસ્થિતિ છે, તો ક્યાંક વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ઉનાળા દરમિયાન ભારે વરસાદથી ગુજરાતના લોકોને રાહત મળી છે. રાજ્યમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગાહી અનુસાર આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. ચક્રવાતી પવનોના વિસ્તારને કારણે રાજ્યમાં વરસાદ પડશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
તણાવ વચ્ચે 3 અધિકારીઓને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
India Pakistan Tension: હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સ્ટેટ ડિઝાસ્ટર ઇમજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વધુ 3 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. વહીવટી અધિકારી ક્લાસ-1ના વધુ 3 અધિકારીઓને SEOCની જવાબદારી સોંપાઈ છે. અગાઉ 3 IAS અધિકારીઓને પણ SEOCની જવાબદારી સોંપાઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સ્ટેટ ડિઝાસ્ટર ઇમજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વધુ 3 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. પરેશકુમાર પ્રજાપતિ, જેનિલ શાહ, એચ.કે ગઢવીની SEOC માં નિમણુંક કરાઈ છે. વહીવટી અધિકારી ક્લાસ-1ના વધુ 3 અધિકારીઓને SEOCની જવાબદારી સોંપાઈ છે. અગાઉ 3 IAS અધિકારીઓને પણ SEOCની જવાબદારી સોંપાઈ છે.
DDCAને મળ્યો ધમકી ભર્યો ઈમેઈલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મોટો નિર્ણય 9 મે (શુક્રવાર) ના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ માહિતી આપી. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ને એક ધમકીભર્યો મેઇલ મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમારા પાકિસ્તાન સમર્થિત સ્લીપર સેલ સમગ્ર ભારતમાં હાજર છે. અમે 'ઓપરેશન સિંદૂર' ને બદલે તેમને સક્રિય કરીશું. અમે તમારા સ્ટેડિયમમાં ધમાકો કરીશું. DDCAએ આ ઈમેલની માહિતી દિલ્હી પોલીસને સોંપી દીધી છે.
ઇન્ડિગો અને એર ઇન્ડિયા લીધો મોટો નિર્ણય
22 એપ્રિલના થયેલાં પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી અને ભારતે પાકિસ્તાન અને પીઓકેના નવ આતંકી ઠેકાણા નષ્ટ કરી દીધા છે. આ બાદથી પાકિસ્તાન તરફથી ભારતના ઘણાં રાજ્યોમાં હુમલા કરવામાં આવ્યાં છે. ગત રાત્રે ભારતે જવાબી કાર્યવાહીમાં દેશભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેની અસર ફ્લાઇટ પર પણ જોવા મળી રહ્યો છે. રદ થયેલી ફ્લાઇટ્સમાં, ચાર ઇન્ડિગો એરલાઇન્સની છે, જેમાં બે અપ અને બે ડાઉનનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની બે ફ્લાઇટ્સ છે, કિશનગઢ, રાજકોટથી આવનારી ફ્લાઇટ રદ કરવામાં આવી. શ્રીનગર-જમ્મુથી આવનારી ફ્લાઇટ રદ કરવામાં આવશે. જે વિશે ઇન્ડિગોએ એડવાઇઝરી જાહેર કરી છે
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે શેરબજાર ધડામ
શેરબજારમાં મિડકેપ-સ્મોલકેપ ઇન્ડેક્સ તળિયેથી રિકવર થયા પછી બંધ થયો હતો. જેમાં રિયલ્ટી, બેંકિંગ, તેલ અને ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી. FMCG, PSE, IT શેરોમાં દબાણ રહ્યું. ડિફેન્સ અને PSU બેંક સંબંધિત શેરોમાં વધારો થયો હતો. નિફ્ટીમાં ICICI બેંક, પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રીરામ ફાઈનાન્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ટોચના ઘટાડા કરનારા શેર હતા.જ્યારે ટાઇટન કંપની, ટાટા મોટર્સ, એલ એન્ડ ટી, ભારત ઇલેક્ટ્રોનિક્સ, હીરો મોટોકોર્પ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ 2.5 ટકા ઘટીને બંધ થયો. જ્યારે PSU બેંક ઇન્ડેક્સ 1.3 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો, ત્યારે મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ, કેપિટલ ગુડ્સ, PSU બેંક ઇન્ડેક્સ 0.8-1.6 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ ૮૮૦,૩૪ પોઈન્ટ અથવા ૧.૧૦ ટકા ઘટીને ૭૯,૪૫૪.૪૭ પર બંધ થયો. બીજી તરફ, નિફટી 265.80 પોઈન્ટ અથવા 1.10 ટકા ઘટીને 24,008.00 પર બંધ થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.