બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ભુજ પર પાકિસ્તાનનો હુમલો નિષ્ફળ, જુઓ આજના મોટા સમાચાર

8 PM News / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ભુજ પર પાકિસ્તાનનો હુમલો નિષ્ફળ, જુઓ આજના મોટા સમાચાર

Last Updated: 08:00 PM, 8 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8 PM News : પાકિસ્તાનના ડ્રોન એટેકનો નાપાક પ્રયાસ નિષ્ફળ, ગુજરાતના ભુજ સહિત 15 શહેરો હતા ટાર્ગેટ પર, યુદ્ધ અને હવામાન બંન્ને દ્રષ્ટિએ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ માટે સૌથી ભારે, મહેસાણાનો પરિવાર ગેરકાયદે USમાં ઘૂસવા જતા 2 બાળકોના મોત, પતિ-પત્ની ગંભીર, અમે આતંકવાદીઓ પર હુમલો કર્યો પણ પાકિસ્તાને અમારા પર, હવે જડબાતોડ જવાબ અપાશે: વિદેશ મંત્રાલય

ગુજરાત સરકાર એક્શન મોડમાં, આરોગ્ય વિભાગે તમામ જિલ્લા સરકારી હોસ્પિટલને આપી આ સૂચના

8 PM News : ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ મિસાઈલ હુમલા કર્યા. આ હુમલા 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતા, જેમાં 26 લોકોના મોત થયા હતા. ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ગૃહ વિભાગ પછી આરોગ્ય વિભાગ પણ સતર્ક છે અને આરોગ્ય વિભાગે જિલ્લાઓની સરકારી હોસ્પિટલ્સને સુચના આપી દેવામાં આવી છે.

યુદ્ધ અને હવામાન બંન્ને દ્રષ્ટિએ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ માટે સૌથી ભારે

ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ ઊભું થયું છે ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી ચાર દિવસમાં ગુજરાતમાં અનેક જગ્યા ઉપર વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનના ડ્રોન એટેકનો નાપાક પ્રયાસ નિષ્ફળ, ગુજરાતના ભુજ સહિત 15 શહેરો હતા ટાર્ગેટ પર

પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા. 07-08 મે 2025 ની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે, ભારતીય સેનાએ UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ હુમલાઓનો કાટમાળ હવે ઘણી જગ્યાએથી મળી રહ્યો છે જે પાકિસ્તાની હુમલાઓની પુષ્ટિ કરે છે. આજે સવારે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો છે.

મહેસાણાનો પરિવાર ગેરકાયદે USમાં ઘૂસવા જતા 2 બાળકોના મોત, પતિ-પત્ની ગંભીર

અમેરિકા જવાની લ્હાયમાં અત્યાર સુધી અનેક પરિવારોનો માળો વિંખાઇ ગયો છે, પરંતુ અમેરિકા જઇ વધારે પૈસા કમાવવાની લાલસાનો અંત હજુ નથી આવ્યો.. આવીજ લાલસામાં ગુજરાતનો વધુ એક પરિવાર હોમાયો છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસવા માટે નીકળેલા મહેસાણાના પટેલ પરિવારની બોટ દરિયામાં પલટી ખાઇ જતા પતિ-પત્ની અને બે બાળકો ડૂબ્યા હતા..જો કે પતિ-પત્ની હાલ ગંભીર હાલતમાં છે પરંતુ બન્ને બાળકો મોતને ભેટી ચૂક્યા છે. કેલિફોર્નિયાના સેન ડીએગો નજીક દરિયામાં આ ઘટના ઘટી હતી. આ પરિવાર કૂકરવાડા નજીક આવેલા આનંદપુરા ગામમાં રહેતો હતો. હાલ સારવાર હેઠળ પતિ અને પત્નીના નામ દિનેશભાઇ પટેલ અને સંગીતાબેન પટેલ હોવાનું સામે આવ્યું છે.. જ્યારે બન્ને બાળકોની ઓળખ પ્રિન્સ અને માહી તરીકે થઇ છે.

અમે આતંકવાદીઓ પર હુમલો કર્યો પણ પાકિસ્તાને અમારા પર : વિદેશ મંત્રાલય

ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. વિદેશ મંત્રાલયે અધિકારીક રીતે સ્વિકાર કર્યો હતો કે, પાકિસ્તાનને કાલે રાત્રે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં 15 સૈન્ય સ્થળો પર મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. આજે ભારતે જવાબી કાર્યવાહી કરતા લાહોરમાં પાકિસ્તાનના એર ડિફેન્સ સિસ્ટમનો ખાતમો કરી દીધો હતો. આ હુમલામાં 16 નાગરિકોનાં મોતની પણ પૃષ્ટિ વિદેશમંત્રાલય દ્વારા કરવામાં આવી હતી.

પાકિસ્તાન પર સ્ટ્રાઈક બાદ BCCIનો મોટો નિર્ણય, ધર્મશાળામાં રમાનારી IPL મેચ રદ!

ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા. આ પછી, દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં ઓછામાં ઓછા 18 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા, જેમાં શ્રીનગર, લેહ, જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જેસલમેર, શિમલા, ધર્મશાળા અને જામનગરનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતના મિસાઇલ હુમલા બાદ ધર્મશાલા એરપોર્ટને કામચલાઉ બંધ કરવાથી ત્યાં રમવાની IPL ટીમોના પ્રવાસ સમયપત્રક પર અસર પડી છે. પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની મેચ 11 મે (સોમવાર) ના રોજ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (HPCA) ખાતે રમવાની હતી, જેને હવે અમદાવાદ ખસેડવામાં આવી છે.

પાકિસ્તાન પર ડ્રોન એટેકના સમાચારથી શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 500000 કરોડ ડૂબ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. વાસ્તવમાં ગુરુવારે શેરબજારની શરૂઆત સારી રહી. પરંતુ ભારતે પાકિસ્તાનના ઘણા શહેરોમાં ડ્રોન હુમલા કર્યાના સમાચાર આવતા જ બજાર અચાનક તૂટી પડ્યું. રોકાણકારોએ વેચાણની થોડી મિનિટોમાં જ 5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા. રોકાણકારો કંઈક સમજે ત્યાં સુધીમાં તો મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. આ ઘટાડાનું એકમાત્ર કારણ ભારત-પાકિસ્તાન સરહદ પર થઈ રહેલા હુમલાઓ છે. હકીકતમાં આજની પરિસ્થિતિ જોતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા વધી ગઈ છે. આના કારણે વોલ સ્ટ્રીટ પર ગભરાટ ભર્યા વેચાણમાં વધારો થયો. ગુરુવારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 423.50 લાખ કરોડથી ઘટીને રૂ. 418.10 લાખ કરોડ થયું. એટલે કે થોડીવારમાં જ બજારમાં અચાનક મોટો ઘટાડો થયો.

વધુ વાંચો : Live Update : પાકિસ્તાને બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી, એરપોર્ટ પર હાઇ એલર્ટ, બિહારમાં તમામ અધિકારીઓની રજાઓ રદ

ભારતનો ડ્રોન એટેક, પાકિસ્તાનનું રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ તબાહ, આજે રમવાની હતી મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભારત પાકિસ્તાનમાં ઘૂસીને તેના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી રહ્યું છે. પહેલા ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને ત્યારબાદ કરાચી અને લાહોર જેવા મોટા શહેરોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા. આ સંદર્ભમાં, રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમને ખરાબ રીતે નુકસાન થયું હોવાના સમાચાર છે. આ મેદાન પર, 8 મે (ગુરુવારે) ના રોજ, પાકિસ્તાન સુપર લીગમાં ડેવિડ વોર્નરની કરાચી કિંગ્સ અને બાબર આઝમની પેશાવર ઝાલ્મી વચ્ચે મેચ યોજાવાની છે. હવે આ મેચ પર સંકટના વાદળો તો છવાઈ રહ્યા છે જ, પરંતુ આખી ટુર્નામેન્ટ રદ થવાનો ભય પણ છે. ઘણા વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન છોડવાની તૈયારી કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News 8 News Big News 8 PM 8 News
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ