ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાયરસે હવે ભારતમાં એન્ટ્રી લેતા ખળભળાટ મચી ગયો છે. ઇટલીથી દિલ્હી પરત ફરેલો એક શખ્સ વાયરસથી પડિત હોવાનું ખુલ્યું છે. તો તલંગાણામાં પણ નવો મામલો સામે આવ્યો છે.
ભારતમાં કોરોનાની એન્ટ્રી
8 બાબતનું ધ્યાન રાખવાથી થઇ શકે ફાયદો
દિલ્હી અને તેલંગાણામાં નોંધાયો છે કેસ
આ શખ્સ દુબઇથી પરત ફર્યો છે, વાયરસનો ભય એટલી હદે ફેલાયો છે કે, WHO દ્વારા કોરોના વાયરસના જે લક્ષણો બતાવ્યા છે તે શરદી-ઉધરસથી એકદમ મળતા આવે છે. ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી કોરોના વાયરસથી બચી શકાય છે.
1 કોરના વાયરસથી બચવા માટે હાઇજીન જાળવી રાખવું જરૂરી છે. આપની આસપાસના સાફ-સફાઇની સંપૂર્ણ જાણકારી રાખવી જોઇએ. છીંક ખાતી વખતે ટિશ્યી મોઢા પર રાખીને કવર કરીને ડસ્ટબિનમાં ફેંકી દેવું જોઇએ અને વારંવાર સાબુથી હાથ ધોવા જોઇએ.
2. હાથને સારી રીતે ધોવા માટે સાબુ અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરો. આ પછી, લગભગ 20 સેકંડ સુધી હાથને સારી રીતે સ્ક્રબ કરો. હાથ ધોયા પછી, સ્વચ્છ કપડાથી સાફ કરો અથવા સુકાંથી તમારા હાથ સુકાવો.
3. ઘરની બહાર નીકળતી વખતે, N95 માસ્કથી મોં સારી રીતે કવર કરવું જોઇએ.
4. બજારમાંથી ખરીદેલી કાચી ખાદ્ય ચીજો ખાશો નહીં. માંસ અથવા લીલા શાકભાજી ખાતા પહેલા તેને સારી રીતે ઉકાળો.
5. ચેપગ્રસ્ત અથવા અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવાનો પ્રયાસ કરશો નહીં. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવ્યા પછી, સાબુથી હાથને સારી રીતે ધોઈ લો.
6. આંખો, નાક અથવા મોઢા પર વારંવાર હાથ લગાવવાનું ટાળો. જો તમે આ કરી રહ્યા છો, તો તરત જ હાથ અને મોં ધોઈ લો.
7. જો તમને ઉધરસ, શરદી, તાવ અથવા શ્વાસ લેવામાં તકલીફ છે, તો જલદી જ ડોક્ટરી તપાસ કરાવો.
8. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિતપણે પાલન કરો.