રાજ્ય સરકારના શિક્ષકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના શિક્ષકોને હવે સાતમા પગારપંચનો લાભ મળશે. કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચ મામલે બહાલ પણ આપી છે. જેથી સુધારેલુ પે સ્કેલ જાન્યુઆરી 2019થી લાગુ થશે.
રાજ્ય સરકારની સહાય ધરાવતી 29 હજાર 264 સંસ્થાઓના શિક્ષકોને લાભ મળશે. એટલું જ નહીં ખાનગી કોલેજ અને સંસ્થાના પણ 3.5 લાખ શિક્ષકોને લાભ મળશે. જેથી હવે રાજ્ય સરકારની તિજોરી પર રૂપિયા 1 હજાર 242 કરોડનો બોજ પડશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજના કર્મચારીઓને પણ સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકારની યુનિવર્સિટી અને તેને સંલગ્ન સરકારી-બિનસરકારી કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને સાતમા પગાર પંચની ભલામણ મુજબ સ્કેલ ટુ સ્કેલ આપવાનો નિર્ણય અંગે જણાવ્યું હતું. 1 જાન્યુઆરી 2019થી સાતમા પગાર પંચ મુજબ પગાર ચુકવવામાં આવશે.